કેન્દ્રીય મંત્રીઓ પ્રકાશ જાવડેકરે એક પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું હતું કે ખેડૂત સંગઠનો સાથે વાતચીતના દ્વાર હજુ પણ બંધ નથી થયા.
મોદી સરકારે ક્લિયર કર્યું સ્ટેન્ડ
હજુ પણ વાતચીતના રસ્તાઓ બંધ નથી થયા: કેબિનેટ મંત્રી જાવડેકર
દિલ્હી પોલીસ જ હિંસા મામલે આપશે જાણકારી : કેન્દ્રીય મંત્રી
ગઈકાલે પ્રજાસત્તાક દિવસના પર્વ પર ટ્રેકટર પરેડમાં થયેલી હિંસાના મામલે આજે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એક પ્રેસ કોન્ફ્રન્સમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે ખેડૂતો સાથે હજુ પણ વાતચીતના રસ્તાઓ બંધ થયા નથી.
We never said that there is no more scope for discussion with farmers: Union Minister Prakash Javadekar
કેબિનેટના નિર્ણયોની જાણકારી આપી રહેલા કેન્દ્રીય મંત્રીને જ્યારે દિલ્હી હિંસા પર સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે શું તમે સાંભળ્યું છે કે વાતચીતના દરવાજાઓ બંધ થઇ ગયા હોય, જ્યારે પણ કઈં પણ થશે તમને જાણકારી આપવામાં આવશે.
સાથે જ મંત્રી જાવડેકરે એમ પણ કહ્યું હતું કે પ્રજાસત્તાકે દિવસે જે કઈં પણ થયું તેની જાણકારી દિલ્હી પોલીસ દ્વારા જ આપવામાં આવશે.
યોજાઇ ચૂકી છે 12 વાટાઘાટો
મહત્વનું છે કે કૃષિ કાયદાના મામલે ખેડૂતો અને સરકાર વચ્ચે અત્યાર સુધીમાં લગભગ 12 રાઉન્ડની વાટાઘાટો યોજાઈ ચૂકી છે, જેમાં સરકારે કૃષિ કાયદાઓને દોઢ વર્ષ સુધી સ્થગિત રાખવાનો પ્રસ્તાવ પણ આપ્યો હતો, જો કે ખેડૂત સંગઠનોએ તેને નકારી કાઢ્યો હતો, જેના પછી બંને પક્ષોએ કડક વલણ અપનાવ્યું હતું અને ત્યારથી જ આ વાટાઘાટો પડી ભાંગશે, તેવી ભીતિ સેવાઈ રહી હતી, જો કે આજે સરકારે તેમનો સ્ટેન્ડ ક્લિયર કરતા આગામી વાતચીતો માટેનો રસ્તો સાફ થયો છે.
જો કે હવે જોવાનું એ રહે છે કે શું ખેડૂત સંગઠનો ફરીથી સરકાર સાથે વાતચીતના ટેબલ પર આવવા માટે રાજી થશે ખરા? આમ હવે આ આંદોલનનું ભવિષ્ય ખેડૂત સંગઠનોના નિર્ણય પર અવલંબે છે.