કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે મહારાષ્ટ્ર સરકાર પર કોવિડ-19 રસીના મામલે ગંભીર આરોપ લગાવ્યો છે.
જાવડકેરે મહારાષ્ટ્ર સરકાર પર કર્યાં ગંભીર આરોપ
મહારાષ્ટ્રને કેન્દ્ર તરફથી 54 લાખ વેક્સિન મોકલાઈ
પણ ફક્ત 23 લાખ ડોઝનો કરાયો ઉપયોગ
બાકીના 56 લાખ ડોઝનો ઉપયોગ કરાયો નથી
જાવડેકરે જણાવ્યું કે મહારાષ્ટ્રને કેન્દ્ર તરફથી 54 લાખ વેક્સિન મોકલાઈ હતી જેમાંથી ફક્ત 23 લાખનો ઉપયોગ કરાયો છે. જાવડેકરે ટ્વિટ કરીને જણાવ્યું કે મહારાષ્ટ્ર સરકારે 12 માર્ચ સુધી 54 લાખ વેકિસનમાંથી ફક્ત 23 લાખ ડોઝનો ઉપયોગ કર્યો છે. 56 ટકા રસીનો ઉપયોગ કરાયો નથી. હવે શિવસેના સાંસદ રાજ્ય માટે વધારાની રસીની માગ કરી રહ્યાં છે. પહેલા મહામારીમાં ગરબડ અને હવે વેકિસન લગાડવામાં ખરાબ પ્રદર્શન.
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે મહારાષ્ટ્રના મુખ્ય સચિવ સીતારામ કુંટેને એક પત્ર લખીને સૂચન કર્યું છે કે કોરોના ટેસ્ટિંગ અને તેની પર દેખરેખ રાખવાની તાતી જરુર છે.
અશોક ભુષણે કહ્યું કે રાજ્યના અધિકારીઓ એક્ટિવ કેસોને ટ્રેક કરવા પર, ટેસ્ટિંગ કરવા પર તથા આઈસોલેશન વગેરે પર પૂરતું ધ્યાન આપતા નથી. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં દરેક એક્ટિવ દર્દીમાંથી 20 થી 30 સંપર્કની શોધખોળ કરવાની જરુર છે. તેમણે કહ્યું કે રાજ્યના જુદાજુદા જિલ્લામાં લાગુ પાડેલા નાઈટ કર્ફ્યુ અને વીકેંડ લોકડાઉન કારગર નીવડ્યાં નથી તેથી કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજીને વધારે અસરકારક રીતે લાગુ પાડવાની જરુર છે.
મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ નવા પ્રતિબંધો જારી
મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ થતા ઉદ્ધવ સરકારે તમામ સિનેમાઘરો, રેસ્ટોરન્ટ અને હોટલ માટે નવા પ્રતિબંધો જારી કર્યાં છે. ઉદ્ધવ સરકારની નવી ગાઈડલાઈન્સ અનુસાર, તમામ સિનેમાઘરો, રેસ્ટોરન્ટ અને હોટલોને 50 ટકા ક્ષમતા સુધી જ લોકોને રાખવાની મંજૂરી આપી છે. તે ઉપરાંત રાજ્યના તમામ મોલ્સમાં લોકો માટે માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન ફરજિયાત બનાવ્યું છે.