ભાવનગરના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ચિત્તાને પાળવામાં સમ્રગ દેશમાં અગ્રીમ સ્થાન ધરાવતા હતા. જેનો ચિત્તાપ્રેમ આખી દુનિયામાં જાણીતો છે.
કાળિયારની પાછળ દોડાવી શિકારની તાલીમ આપતા
ભ્રષ્ટ કર્મચારીઓની તપાસમાં પણ ચિત્તાનો ઉપયોગ કરતા
કૃષ્ણકુમારસિંહજીના ચિત્તા સાથેના ફોટા વાયરલ
ભાવનગરના રાજવીઓએ પોતાના ગોહિલવાડ સ્ટેટ સમયે આર્થિક સમૃદ્ધિ તો વધારી હતી સાથે તેઓ પ્રકૃતિસંરક્ષણ અને પક્ષીઓ કે પ્રાણીઓની જાળવણીમાં પણ પ્રસિદ્ધ હતા. ભાવનગરના રાજવી ભાવસિંહજી અને કૃષ્ણકુમારસિંહજી ચિત્તાઓને પાળવાના શોખીન હતા. ભાવનગર રાજ્યમાં તે સમયે ચિત્તાઓને ઉછેર કરીને તેને તાલીમ પણ આપતા હતા. ભાવનગરના ઇતિહાસવિદોતો ત્યાં સુધી કહે છે કે, મહારાજ કૃષ્ણકુમાર સિંહજી ચિત્તા પાળવાના શોખીન હતા એટલું જ નહીં તેઓ બળદ ગાડામા ચિત્તાને બેસાડીને કાળિયાર અભ્યારણમાં શિકાર માટે કાળિયારની પાછળ દોડાવી શિકારની તાલીમ પણ આપતા હતા.
કૃષ્ણકુમારસિંહજીને ચિત્તા પાળવાનો શોખ હતો
ભાવનગરના પક્ષીપ્રેમીઓ પણ આ વાત ને સમર્થન આપી રહયા છે, કે ભાવનગરના રાજવીઓના ચિત્તા પાળવાના શોખને લઈ ગાંધીજી પણ પ્રભાવિત હતા. મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ તો પોતાના શાસનમાં ભ્રષ્ટ કર્મચારીઓની તપાસમાં પણ ચિત્તાનો ઉપયોગ કરતા હતા. હાલ જ્યારે મધ્ય પ્રદેશમાં ચિત્તા છોડવાનો મુદ્દો ચર્ચાનો વિષય છે ત્યારે ભાવનગરમાં જાગૃત લોકો મહારાજા કૃષ્ણકુમારસિંહજીના ચિત્તા સાથે ના ફોટા અને વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહયા છે.
સુવર્ણ ઇતિહાસ ફરીવાર યાદ કરાઈ રહ્યો છે.
આમતો ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પોતાનું પહેલું રજવાડું રાષ્ટ્રને સૌ પ્રથમ સુપરત કર્યું ત્યારથી તેમનું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે, પરંતુ રાજયમાં ચિત્તાના પુનરાગમન સાથે એ સુવર્ણ ઇતિહાસ ફરીવાર યાદ કરાઈ રહ્યો છે. જો કે, હાલ મધ્યપ્રદેશમાં 4 ચિત્તાને છોડવામાં આવ્યા બાદ આગામી દિવસોમાં રાજસ્થાન અને ત્યારબાદ ગુજરાતમાં ચિત્તા લાવવામાં આવશે તેમ પક્ષી વિદો કહી રહ્યા છે, એટલે કે ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં ચિત્તા જોવા મળે તો નવાઈ પામવા જેવું નહિ રહે.