અરવલ્લીના લીલાછા ગામમાં પ્રજાપતિ સમાજના 150 થી વધુ ઘરો છે જે આ પ્રખ્યાત માટલાં બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા છે
દેશી ફ્રીઝની આજે પણ બોલબાલા
અરવલ્લીનું માટલું દેશમાં પ્રખ્યાત
આ કુદરતી ફ્રીઝ, આધુનિક ફ્રીઝને આપે છે ટક્કર
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સૌથી વધુ જરૂર પાણીની પડે છે. અને તેમાં પણ લોકો ફ્રીઝનું ઠંડુ પાણી ખુબ પીવે છે.જે સ્વાસ્થ્ય માટે નુકસાન કારક છે. પરંતુ આજે પણ એક ફ્રીઝ એવું છે. જે કાળઝાળ ગરમીમાં પણ ઠંડા પાણીની ગરજ સારે છે. અને આ ફ્રીઝ એટલે કે, અરવલ્લી જિલ્લામાં બનતાં માટલાં
ઠંડા પાણીની સાથે સ્વાસ્થ્ય માટે વરદાન રૂપ
ફ્રીઝનું ઠંડુ પાણી ગરમીમાં રાહત આપે છે.જ્યારે સ્વાસ્થ્યને નુકસાન કરે છે. પરંતુ આ દ્રશ્યોમાં બનતાં માટીના માટલાઓને જુઓ. આ એ કુદરતી ફ્રીઝ છે.જે કાળઝાળ ગરમીમાં ફ્રીઝ જેવું ઠંડુ પાણી તો પુરું પાડે જ છે.પરંતુ તેની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદા કારક છે.આ દ્રસ્યો અરવલ્લી જિલ્લાના લીલછા ગામના છે.જ્યાં પ્રજાપતિ સમાજ દ્વારા આજે પણ હાથથી ઘડીને માટલા બનાવવામાં આવી રહ્યા છે.અને આ માટલાની દેશભરમાં માગ રહે છે.
વર્ષોથી પ્રજાપતિ સમાજ બનાવે છે માટલાં
લીલાછા ગામમાં પ્રજાપતિ સમાજના 150 થી વધુ ઘરો આવેલા છે.અને આ સમાજના 300 જેટલા લોકો માટલા બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા છે.દર વર્ષે ઉનાળાની સિઝનમાં આ પરિવારો માટલા બનાવીને તેમાંથી લાખો રૂપિયાની કમાણી કરે છે.આ માટલાની ગુજરાત સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાં પણ ખુબ માગ રહે છે.જેના કારણે અહીંના પ્રજાપતિ સમાજને પોતાના પરંપરાગત વ્યવસાયને લઈને આજે પણ ગર્વ છે.
મહત્વનું છે કે, મોંઘવારી વધી છે.પરંતુ માટલાના ભાવ આજે પણ જેટલા હતા તેટલા જ છે.તેવામાં આ પરિવારોને થોડી મુશ્કેલીઓ પડી રહી છે.પરંતુ આજ સુધી આ પરિવારોએ ક્યારેય પણ સરકાર પાસેથી આર્થિક સહાય માટે હાથ નથી લંબાવ્યો.બસ તેમની આ કારીગરીના પુરતા ભાવ મળી રહે તેટલી જ તેમની માગ છે.આશા રાખીએ કે, ફ્રીઝનું પાણી પીનારા લોકો ફ્રઝીને નહીં પરંતુ માટલાને પોતાની પસંદ બનાવે.જેથી તેમના સ્વાસ્થ્યને પણ લાભ થશે.અને હજારો પરિવારોને પણ રોજગારી મળતી રહેશે.