આ બદલ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલે કેજરીવાલનો આભાર માન્યો
મંત્રી પ્રહલાદ પટેલે જણાવ્યું કે કેજરીવાલ જ્યારે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યાં હતા ત્યારે તેમની પાછળનો તિરંગો બદલાઈ ગયો હતો.
પ્રહલાદ પટેલે ટ્વિટર પર લખ્યું કે જો કોઈ વ્યક્તિ અજાણતા ભૂલ કરે તો તે તેની ભૂલનો સ્વીકાર કરે છે અને પછી તેને સુધારી લે છે. જો અરવિંદ કેજરીવાલે પોતાની ભૂલ સ્વીકારી લઈને માફી માંગી હોય તો તેમણે ઘણું સારુ કામ કર્યું હોત. પરંતુ તેમની ખામોશી શંકા જન્માવે છે. તમે તમારી ભૂલ સ્વીકારી નથી પરંતુ તેને સુધારી તો શકો ને. તમારો આભાર એવું કેન્દ્રીય મંત્રીએ ટ્વિટર પર લખ્યું.
પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે સુશોભન તરીકે તિરંગાનો ઉપયોગ કર્યો
કેન્દ્રીય મંત્રીએ પ્રધાનમંત્રી કાર્યાલય અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને પણ પોતાના ટ્વિટમાં ટેગ કર્યાં હતા. ગત અઠવાડિયે પ્રહલાદ પટેલે કેજરીવાલને લખેલા પત્રમાં એવો આક્ષેપ કર્યો હતો કે સીએમ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમની પાછળ જે તિરંગો લગાડાયો હતો તે ફ્લેગ કોડના ઉલ્લંઘન સમાન છે. રાષ્ટ્રીય ધ્વજનો સુશોસન તરીકે ઉપયોગ કરાયો હોવાનો પણ પ્રહલાદ પટેલે કેજરીવાલ પર આક્ષેપ કર્યો છે.
ઘર ઘર રેશન યોજના પર કેન્દ્રના પ્રતિબંધ બાદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી
કેન્દ્રની તરફથી દિલ્હી સરકારની 'ઘર ઘર રાશન યોજના' પર રોક લગાવવા પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે યોજના લાગુ કરવાની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ હતી તો પછી કેન્દ્રએ બે દિવસ પહેલા તેને રોકાવી કેમ દીધી? કેજરીવાલે કહ્યું કે યોજના એવું કહીને રોકવામાં આવી છે કે અમે કેન્દ્ર પાસેથી મંજૂરી નથી લીધી. પરંતુ અમે કેન્દ્ર પાસં એક વખત નહીં પાંચ વખત મંજૂરી લીધી છે.
व्यक्ति अगर भूलवश गलती करता है,तो गलती स्वीकारता है फिर उसे सुधारता है @ArvindKejriwal जी ने अगर अपनी गलती मानकर माफी मांगी होती तो उनका बड़कपन होता?! लेकिन उनकी चुप्पी ने शंका को जन्म दिया।आपने अपनी गलती भले स्वीकार न की हो पर सुधार किया! धन्यवाद आपका @PMOIndia@JPNadda@BJP4MPpic.twitter.com/OHt7aB0Upp
— Prahlad Singh Patel (@prahladspatel) June 5, 2021
સીએમ કેજરીવાલે કહ્યું કે, "આવતા અઠવાડિયાથી ઘર ઘર રાશન યોજના શરૂ થવાની હતી. બધી જ તૈયારીઓ થઈ ચુકી હતી. પરંતુ અચાનક જ બે દિવસ પહેલા જ તેને રોકી દેવામાં આવી. પ્રધાનમંત્રીજી આ યોજના માટે રાજ્ય સરકાર સક્ષમ છે અને અમે કેન્દ્ર સાથે કોઈ વિવાદ નથી ઈચ્છતા. અમે તેનું નામ મુખ્યમંત્રી ઘર-ઘર રાશન યોજના રાખ્યું હતું. ત્યારે અમને કહેવામાં આવ્યું કે મુખ્યમંત્રી નામ ન રાખી શકાય. અમે તેમની વાત માનીને નામ હટાવી લીધું અને હવે અમારી આ યોજના એ કહીને ફગાવી દેવામાં આવી કે અમે કોઈ મંજૂરી નથી લીધી. કેન્દ્ર પાસે આ યોજના માટે અમે પાંચ વખત મંજૂરી લીધી છે. "