સચિન તેંડુલકરની છેલ્લી ટેસ્ટ મેચ દરેક ક્રિકેટ પ્રેમીને આજ સુધી યાદ હશે. આ જ મેચમાં ભારતનાં એક સ્પિનરે કમાલ કરી હતી. પ્રજ્ઞાન ઓઝા જેમણે છેલ્લી ટેસ્ટમાં તેમણે 10 વિકેટ ઝડપીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે પ્રજ્ઞાન ઓઝા એ હવે સંન્યાસની જાહેરાત કરી છે. 33 વર્ષનાં સ્પિનરે શુક્રવારે બધા જ પ્રકારના ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી. તેમણે ટ્વીટર પોસ્ટ કરીને સંન્યાસ વિશે જાહેરાત કરી.
ટ્વીટર પર શેર કર્યો ભાવુક સંદેશ
સચિનની છેલ્લી ટેસ્ટમાં રહ્યો હતો હીરો
વર્ષ 2014માં બોલિંગનાં કારણે તેમના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો
It’s time I move on to the next phase of my life. The love and support of each and every individual will always remain with me and motivate me all the time 🙏🏼 pic.twitter.com/WoK0WfnCR7
તેમણે કહ્યું કે ભારત માટે આ સ્તર પર રમવું મારા માટે હંમેશા એક સ્વપન સમાન હતું. હું મારી ભાવનાઓને શબ્દોમાં વર્ણવી પણ નથી શકતો કે હું કેટલો ભાગ્યશાળી છું. મને દેશવાસીઓ તરફથી પ્રેમ અને સન્માન મળ્યા.
પ્રજ્ઞાન ઓઝાએ ભારત તરફથી 24 ટેસ્ટમાં 113 વિકેટ ઝડપી જયારે 18 વન ડે મેચમાં 21 વિકેટ ઝડપી હતી. તેમણે છેલ્લી ટેસ્ટ મેચ મુંબઈમાં વર્ષ 2013માં રમી હતી. નોંધનીય છે કે આ જ મેચ સચિન તેન્ડુલકરનાં કરિયરની છેલ્લી ટેસ્ટ મેચ હતી. ઓઝાનો ટેસ્ટ કરિયર ચાર વર્ષનો રહ્યો.
યોગાનુયોગ સચિનની વિદાઈ ટેસ્ટ જ પ્રજ્ઞાન ઓઝાની કરિયરની છેલ્લી ટેસ્ટ સાબિત થઇ. કારણ કે આ મેચ બાદ પ્રજ્ઞાનને પણ ભારતીય ટીમમાં ક્યારેય સામેલ કરવામાં આવ્યા નથી. પોતાની છેલ્લી ટેસ્ટમાં ઓઝાએ 10 વિકેટ લીધી હતી અને તે પ્લેયર ઓફ ધ મેચમાં રહ્યા.
Pragyan Ojha has retired from all forms of cricket!
He represented India in 48 matches across formats between 2008 and 2013 and picked up 144 wickets. pic.twitter.com/lQbBeC7zwW
આઈપીએલમાં ડેક્કન ચાર્જર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ તરફથી તેઓ રમી ચુક્યા છે. ડિસેમ્બર 2014માં શંકાસ્પદ બોલિંગનાં કારણે તેમના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો જોકે બાદમાં જાન્યુઆરી 2015માં તેમને ફરીથી બોલિંગ કરવાની અનુમતિ આપવામાં આવી.