પૂર્વ નાણામંત્રી અરુણ જેટલી અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગૌરની શ્રદ્ધાંજલિ સભામાં સાંસદ પ્રજ્ઞા ઠાકુરે વિપક્ષ દ્વારા ભાજપના નેતાઓ પર 'મારક શક્તિ'ના ઉપયોગની આશંકા દર્શાવી છે.
ભોપાલથી ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે એક કિસ્સો સંભળાવતા કહ્યું કે જ્યારે હું ચૂંટણી લડી રહી હતી તો મહારાજ મારી પાસે આવ્યા અને એમણે કહ્યું કે ખુબ જ ખરાબ સમય ચાલી રહ્યો છે. વિપક્ષ એક મારક શક્તિનો પ્રયોગ આપણી પાર્ટી અને તેના નેતાઓ પર કરી રહી છે. એવામાં હું સાવચેત રહું. આ ભાજપને નુકશાન પહોંચાડવા માટે કરવામાં આવી રહ્યું છે.
પ્રજ્ઞા ઠાકુરે સાથે જ જણાવ્યું કે બાબાએ કહ્યું કે આ ભાજપના કર્મઠ, યોગ્ય અને એવા લોકો જે પાર્ટીને સંભાળે છે, તેમના પર અસર કરશે. એમને તે નુકશાન પહોંચાડી શકે છે. આપ નિશાન પર છો, તેથી ધ્યાન રાખજો. એ મહારાજની વાત મેં ભીડમાં ચાલતા-ચાલતા સાંભળી અને ભૂલી ગઇ.
#WATCH Pragya Thakur,BJP MP: Once a Maharaj ji told me that bad times are upon us&opposition is upto something, using some 'marak shakti' against BJP.I later forgot what he said,but now when I see our top leaders leaving us one by one,I am forced to think,wasn't Maharaj ji right? pic.twitter.com/ZeYHkacFJj
પ્રજ્ઞા ઠાકુરે આગળ કહ્યું, આજે જોઉં છું કે, ખરેખર અમારું ટોચનું નેતૃત્વ સુષમાજી, ગૌરજી, જેટલીજી પીડા સહન કરતા જઇ રહ્યા છે. આ જોઇને મનમાં થયું કે ક્યાંક આ સાચું તો નથી ને. સત્ય એ છે કે આપણી વચ્ચે આપણું નેતૃત્વ સતત જઇ રહ્યું છે. ભલે આપ વિશ્વાસ કરો અથવા ન કરો, પરંતુ આ સત્ય છે અને આમ જ બની રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભાજપના દિગ્ગજ નેતા અરુણ જેટલીનું 66 વર્ષની વયે દિલ્હીની એમ્સમાં ઇલાજ દરમિયાન નિધન થઇ ગયું હતું. એમને 9 ઓગસ્ટ એમ્સમાં ભરતી કરાયા હતા. ભાજપના દિગ્ગજ નેતાઓએ અરુણ જેટલીને અંતિમ વિદાય આપવા માટે દિલ્હીના યમુના કિનારે નિગમબોધ ઘાટ પર એકત્રીત થયા હતા. વરિષ્ઠ નેતાઓએ પાર્થિવ શરીર પર પૂષ્પાજંલિ અર્પિત કરી અને રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કર્યા હતા.