પોતાના નિવેદન મામલે વિવાદોમાં રહેનાર માલેગાંવ બ્લાસ્ટની આરોપી પ્રજ્ઞા સિંહ ઠાકુરે ગાંધીજીની હત્યા કરનાર નાથૂરામ ગોડસેને 'દેશભક્ત' બતાવ્યા છે. પ્રજ્ઞા સિંહનું આ નિવેદન હાલમાં જ અભિનેતા કમલ હાસનના એ નિવેદન બાદ આવ્યું છે જેમા એમણે ગોડસેને ભારતનો પહેલો આંતકવાદી કહ્યો હતો.
નાથૂરામ ગોડસેને દેશભક્ત બતાવ્યા બાદ પ્રજ્ઞા સિંહ પાર્ટીમાં જ ઘેરાઇ ગયા છે. પાર્ટીએ તેમના નિવેદનથી પોતાને અલગ કરી નાંખી છે. મહત્વનું છે કે લોકસભા ચૂંટણીને લઇને મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની ઉમેદવાર પ્રજ્ઞા સિંહ ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે.
એક રોડ શો દરમિયાન પ્રજ્ઞા સિંહને નાથૂરામ ગોડસેને લઇને એક સવાલ પૂછાયો હતો, જેના જવાબ આપતા કહ્યું કે, ''નાથૂરામ ગોડસે દેશભક્ત હતા, છે અને રહેશે. તેમને આંતકવાદી કહેનાર લોકો પોતાની અંદર જુએે, આવુ બોલનારને આ ચૂંટણીમાં જવાબ આપી દેવાશે.'' આ બાદ એમને પૂછવામાં આવ્યું કે, શું આપ નાથૂરામ ગોડસેનું સમર્થન કરો છો. ત્યારે પ્રજ્ઞા સિંહે તેના પર પ્રતિક્રિયા ન આપતા પોતાનો રોડ શો આગળ વધાર્યો હતો. જોકે નાથૂરામ ગોડસે વાળા નિવેદન પર ભાજપે પ્રજ્ઞા સિંહ ઠાકુરથી છેડો ફાડ્યો છે. જે બાદ પ્રજ્ઞા સિંહે પ્રદેશ અધ્યક્ષની માફી માંગી અને પોતાના નિવેદનને પાછું ખેચ્યું છે.
કોંગ્રેસે પ્રજ્ઞા સિંહના નિવેદનને લઇને ભાજપ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે ભારતની આત્મા ગોડસેના વંશજોતી ખતરામાં છે. ભાજપ નેતા ભારતના રાષ્ટ્રપિતાના હત્યારાને સાચો દેશભક્ત બતાવી રહી છે. અને દેશ માટે જીવ આપનાર હેમંત કરકરેને દેશદ્રોહી બતાવી રહી છે.
R Surjewala,Congress: India's soul is under attack by successors of Godse, the BJP ruling dispensation.BJP leaders are describing the murderer of father of the nation as a true nationalist&declaring those who sacrificed their lives for nation like Hemant Karkare as anti-nationals pic.twitter.com/yX8SuEndlL
પ્રજ્ઞા સિંહના નિવેદનન લઇને ભોપાલના કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહે ભાજપને આડે હાથ લેતા કહ્યું કે મોદીજી, અમિત શાહજી અને રાજ્ય ભાજપે તેના પર પોતાની પ્રતિક્રિયા આપવી જોઇએ અને દેશની માફી માંગવી જોઇએ. હું આ નિવેદનની નિંદા કરું છું. નાથૂરામ ગોડસે એક હત્યારો હતો. તેનો મહિમામંડન દેશભક્તિ નહીં, પણ દેશદ્રોહ છે.
Digvijaya Singh, Congress LS candidate from Bhopal on Pragya Thakur's remarks: Modi ji, Amit Shah ji & the state BJP should give their statements & apologize to the nation. I condemn this statement, Nathuram Godse was a killer, glorifying him is not patriotism, it is sedition. pic.twitter.com/HWp3ZMzREZ
જોકે પ્રજ્ઞા સિંહના નિવેદનને લઇને ભાજપે પોતાને અલગ કરી છે. ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિન્હા રાવે કહ્યું, સાધ્વી પ્રજ્ઞા સિંહના નિવેદનથી ભાજપ સમંત નથી અને તેની કડક નિંદા કરે છે. પાર્ટી તેમની પાસેથી આ મામલે સ્પષ્ટા માંગે છે અને તેને સાર્વજનિક માફી માંગવા માટે કહેશે. આ પહેલા ભાજપે સાધ્વી પ્રજ્ઞા સિંહને 19 સુધી મૌન રહેવા જણાવ્યુ હતું. પાર્ટીએ તેમને બિન જરૂરી નિવેદન ન કરવા અને 19 મે અંતિમ ચરણ સુધી કોઇપણ રીતે વિવાદાસ્પદ નિવેદનથી બચવા જણાવ્યું હતું.
GVL Narasimha Rao, BJP on Pragya Singh Thakur's statement "Nathuram Godse was, is & will remain a 'deshbhakt": BJP does not agree with this statement, we condemn it. Party will ask her for clarification, she should apologise publicly for this statement. pic.twitter.com/yBEs8nQoWW
આ પહેલા પ્રજ્ઞા સિંહે કહ્યું હતું કે એટીએસના હેમંત કરકરે દ્વારા માલેગાંવ વિસ્ફોટ મામલાની તપાસ દરમિયાન એમને યાતના આપવામાં આવી અને તેમના શ્રાપને કારણે તેમની 26/11 આંતકવાદી હુમલામાં મોત થઇ ગઇ હતી. આ ઉપરાંત પ્રજ્ઞા સિંહે બાબરી મસ્જિદ પર નિવેદન આપ્યું હતું. પ્રજ્ઞા સિંહે કહ્યું હતું કે 1992માં અયોધ્યા બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે સામેલ હોવા પર તેમને ગર્વ છે. જે બાદ ચૂંટણી પંચ સમક્ષ પ્રજ્ઞા સિંહે દિગવંત આઇપીએસ અધિકારી વિરુદ્ધ પોતાના નિવેદન માટે માફી માંગી હતી.