નડિયાદના પ્રગતિનગરમાં અપાર્ટમેન્ટનો બ્લોક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ભારે વરસાદના કારણે આ દુર્ઘટના બની છે. ત્યારે ઈમારત ધરાશાયી થતા કેટલાક લોકો દટાયાની આશંકા સેવાઇ રહી છે. સ્થાનિક તંત્રએ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથધરી છે.
ભારે વરસાદના કારણે પ્રગતિનગરમાં આવેલ એપાર્ટમેન્ટનો બ્લોક ધરાશાયી થયો છે. આ એપાર્ટમેન્ટનો ભાગ ધરાશાયી થતા 8થી 10 લોકો ફસાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. જોકે ધારાશાયી થયેલી બિલ્ડિંગ હાઉસિંગ બોર્ડની જૂની ઇમારત છે.
ફાયરબ્રિગેડ, NDRF અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા છે. ફાયરવિભાગના કર્મીઓ સતત કામગીરી કરી રહ્યા છે. કાટમાળ નીચે 8થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે. ત્યારે કાટમાળ હટાવવાની કામગીરી સતત શરૂ છે. અત્યાર સુધીમાં બે લોકોનું રેસ્ક્યુ કરાયું છે.
મહત્વનું છે કે, જર્જરિત ઇમારતને ખાલી કરવા અગાઉ નોટિસ અપાઇ હતી. નોટીસ બાદ પણ ઇમારતને ખાલી કરવામાં આવી ન હતી.