વિધાનસભામાં ચર્ચા દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કોંગ્રેસના ધારાસભ્યોને ટકોર કરી હતી.
વિધાનસભા દરમિયાન પ્રદીપસિંહ અને નીતિન પટેલના વિપક્ષ પર પ્રહાર
અમે લાઠીઓ ખાઈને અહીં સુધી પહોંચ્યા છીએઃ પ્રદીપસિંહ
જે ન સમજી શકે તેવા બધા ધારાસભ્યને ગૃહમાંથી કાઢી મુકવા જેવા છેઃ નીતિન પટેલ
હાલ ગુજરાત વિધાનસબા ગૃહમાં બજેટ સત્રને છેલ્લા 2 દિવસ બાકી રહ્યા છે. ત્યારે 2 દિવસમાં કુલ 12 જેટલા વિધેયકો રજૂ કરવામાં આવશે. જેમાં આજે 8 વિધેયકો અને 4 વિધેયકો આવતીકાલે રજૂ કરાશે. તેવામાં વિધેયક મુદ્દે વિપક્ષના નિવેદન પર નાયબ મુખ્યમંત્રીએ પ્રહાર કર્યા હતા.
જે ન સમજી શકે તેવા બધા ધારાસભ્યને ગૃહમાંથી કાઢી મુકવા જેવા છેઃ નીતિન પટેલ
ગાંધીનગરમાં વિધાનસભામાં વિધેયક મુદ્દે વિપક્ષના નિવેદન પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, જે ન સમજી શકે તેવા બધા ધારાસભ્યને ગૃહમાંથી કાઢી મુકવા જેવા છે. મને તો તેવા ધારાસભ્યના મત વિસ્તારના લોકોની ચિંતા થાય છે.
અમે હજુ સુધી વિપક્ષને એવી કોઈ ટ્રીટમેન્ટ આપી નથીઃ પ્રદીપસિંહ
તો પ્રદીપસિંહ જાડેજાનું ગૃહમાં કહ્યું કે, વિપક્ષમાં હતા ત્યારે ગુજરાતના પ્રશ્નો માટે આંદોલન કરતા હતા. અમે લાઠીઓ ખાઈને અહીં સુધી પહોંચ્યા છીએ. વિપક્ષના તમામ અધિકારો ગુજરાતમાં સચવાયેલા છે. અમે હજુ સુધી વિપક્ષને એવી કોઈ ટ્રીટમેન્ટ આપી નથી. પોલીસ પણ સંયમ અને સંવેદનશીલ છે.