અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ સઘન સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરાયું, ગૃહ રાજ્યમંત્રીનું પ્રદિપસિંહ જાડેજાએ રૂટનું નિરીક્ષણ કર્યું અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
રથયાત્રાને લઈને સઘન સુરક્ષા વ્યવસ્થા
પ્રદિપસિંહ જાડેજાએ રૂટનું કર્યું નિરીક્ષણ
સુરક્ષા-વ્યવસ્થાની કરી સમીક્ષા
અમદાવાદમાં રથયાત્રાની તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે રથયાત્રાને લઇ સઘન સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરાયું. ગૃહ રાજ્યમંત્રીનું પ્રદિપસિંહ જાડેજાએ રૂટનું નિરીક્ષણ કર્યું. અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે 12 જૂલાઈએ રથયાત્રા નીકળશે. જેમાં અમિત શાહ મંગળા આરતી કરશે અને સીએમ રૂપાણી પહિંદવિધિ કરશે.
પ્રદીપસિંહે કહ્યું કે કોરોનાની સ્થિતિમાં લોકોની આસ્થા-સ્વાસ્થ્યનું જતન કરવાનું છે. અને અલગ પરિસ્થિતિ હોવાના કારણે સમગ્ર રૂટનું નિરીક્ષણ કરાયું છે. સાથે જ તમામ પ્રોટોકોલનું પાલન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરાશે. અને 16 જેટલા ડ્રોન સહિતથી દેખરેખ રખાશે. કોરોના પ્રોટોકોલનું ઉલ્લંઘન ન થાય તેનું ધ્યાન રખાશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આવશે ગુજરાત
અમિત શાહ આવતીકાલથી 3 દિવસના ગુજરાત પ્રવાસે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલ સાંજે અમદાવાદ આવશે. 12 જૂલાઇએ પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં અમિત શાહ દર્શન કરશે. અમિત શાહ વહેલી સવારે પરિવાર સાથે મંગળા આરતી કરશે. અમિત શાહ 11 જૂલાઇએ બોપલ અને વેજલપુરમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અને સાબરમતી વિસ્તારના નવા વાડજ ખાતે બનેલા પંપીગ સ્ટેશન ખુલ્લો મુકશે. સાથે જ સાણંદ APCMમાં બનેવ નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરશે.
નાથની નગરયાત્રા માટે પરવાનગી મળી ગઈ છે. 144મી રથયાત્રામાં નાથ નગરજનોના ઘરે આવશે. નાથની નગરયાત્રા અંગે VTVએ પહેલાં જ સમાચાર પ્રસ્તુત કર્યા હતા કે રથયાત્રાને પરમિશન મળશે. જો કે અંતે રાજ્ય સરકારે રથયાત્રા માટે બાંહેધરી આપતા નગરજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. કોરોના મહમારીને ધ્યાને રાખી રાજ્ય સરકારે કોરોના પ્રોટોકોલ સાથે પરવાનગી આપી છે.
નિયમો સાથે નીકળશે નાથનો રથ
નાથની યાત્રા હશે ભક્તો વિનાની
60 ખલાસીઓ ખેંચશે રથ
19 કીમી હશે રથયાત્રા
રથયાત્રામાં 5 જેટલા વાહનો સામેલ થશે
મહંત અને ટ્રસ્ટી અને 3 રથ સાથે 5 વાહનોને પરમિશન આપવામાં આવશે
ખલાસીઓ 48 કલાક અગાઉનો RT-PCT નેગેટિવ હશે તો જ ભાગ લઈ શકશે
વેક્સિનનું પ્રથમ ડોઝ લીધેલા ખલાસીને અગ્રીમતા આપવામાં આવશે
રથયાત્રા સાથે જોડાશે તેને ફેસ કવર માસ્કના નિયમનો પાલન કરવાનું રહેશે
હાથી, ટ્રક, ભજન મંડળી ,અખાડાને મજૂરી આપવામાં આવી નથી