ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં પ્રેસ કોંફરેન્સ યોજાઈ હતી. આ પ્રેસ કોંફરેન્સમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને રાજ્યના પોલીસ વડા પણ હાજર રહ્યા હતા. સાથે જ આ પ્રેસ કોંફરેન્સમાં SP DSP IG DIG અને એશિનલ DIG કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ પ્રેસ કોંફરેન્સમાં કાયદો વ્યવસ્થાની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા થઈ હતી. સાથે જ મોબ લિંચિગ સામાજીક આંદોલન ભ્રષ્ટાચાર નિર્મૂલન અંગે પણ થઈ હતી. પોલીના પ્રજા પ્રત્યે વર્તન અંગે પણ ચર્ચા કરાઈ હતી.
ક્રાઈમ કોન્ફરન્સ બાદ ગૃહમંત્રીનું નિવેદન
ક્રાઈમ કોન્ફરન્સ બાદ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસને ટેકનોલોજીથી સજ્જ અને આધુનિક બનાવવામાં આવશે. રાજ્યના 33 જિલ્લાઓ અને 8 મહાનગર પાલિકાઓમાં 300 કરોડના ખર્ચે CCTV નેટવર્ક ગોઠવવામાં આવશે. આ ઉપરાંત મોનિટરીંગ માટે ડ્રોન અને એન્ટી ડ્રોન ટેનોલોજીનો ઉમેરો કરવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે બજેટમાં 4 સાયબર પોલીસ મથક બનાવવાની જોગવાઈ છે. જેથી સોશિયલ મીડિયા પર પણ ખાસ દેખરેખ રાખવામાં આવશે.
ગાંધીનગરમાં ક્રાઈમ કોન્ફરન્સ પર ગૃહમંત્રીનુ નિવેદન