વરિષ્ઠ નાગરિકો માટે પ્રધાનમંત્રી વય વંદના યોજના લાગૂ કરવામાં આવી છે. એક રીતે 60 વર્ષ અને એનાથી ઉપરના નાગરિકો માટે આ એક પેન્શન યોજના છે. એને એક સામટી રકમની ચુકવણી કરીને ખરીદી શકાય છે. એમાં રોકાણ કરવાનો સમય 31 માર્ચ 2020 સુધી છે.
આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને માસિક પેન્શન વિકલ્પ પસંદ કરવા પર 10 વર્ષ માટે ઓછામાં ઓછા 8 ટકાની ગેરંટી સાથે રિટર્નની વ્યવસ્થા છે. તમે વાર્ષિક પેન્શનનો વિકલ્પ પસંદ કરી શકો છો ત્યારે 10 વર્ષ માટે 8.3%ની રકમ તમને પરત મળશે. જીએસટીથી આ યોજનાને છૂટ આપવામાં આવી છે.
યોજના માટે સરકારે LIC સાથે હાથ મિલાવ્યો
15 લાખ રૂપિયા સુધી કરી શકો છો રોકાણ
વરિષ્ઠ નાગરીકોને હેરાન નહીં થવું પડે તેના માટે યોજનાએ LIC ( લાઈફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા) સાથે મળીને અમલમાં મુકવામાં આવી છે. પોતાના મૂળભૂત ખર્ચાઓ માટે પેન્શર પર આધારિત રહેતા નિવૃત્તો માટે આ સારી યોજના છે. તેમાં મહત્તમ રૂ.15 લાખનું રોકાણ કરી શકાય છે. રૂ.15 લાખના રોકાણ પર તમને દર મહિને 10 હજાર રૂપિયાનું પેન્શન મળશે.
યોજનાથી જોડાયેલી જરૂરી વાતો
ઇન્કમ ટેક્સ અધિનિયમ 1961ની કલમ 80-c અંતર્ગત આ યોજનામાં જમા કરાયેલી રકમ સંપૂર્ણપણે કરમુક્ત છે, પરંતુ જમા કરવામાં આવેલી રકમમાંથી મળનારા વ્યાજ પર પોલિસી ધારકે આવકવેરો ભરવાનો રહેશે.
પ્રતિ માસ પેન્શન ઊઠાવવા ઇચ્છો છો તો 8 ટકા વ્યાજ મળશે. જો પેન્શનની પૂરી રકમ એક વર્ષમાં એક વખત ઊઠાવવા ઇચ્છો છો તો આ વ્યાજ વધીને 8.3 ટકા થઇ જશે. યોજનામાં રોકાણની મર્યાદા પ્રતિ વરિષ્ઠ નાગરિક છે, નહીં કે પ્રતિ પરિવાર. પતિ-પત્ની ઈચ્છે તો બંને ભેગા મળીને રૂ.30 લાખનું રોકાણ કરી શકે છે.
પોલિસીની સમય મર્યાદા 10 વર્ષ છે. તમારી પાસે વિકલ્પ રહે છે કે તમે દર મહિને પેન્શન ઇચ્છો છો તો ત્રિમાસીક, છ મહિના અથવા વાર્ષિક ચુકવણી ઇચ્છો છો.
આ યોજના અંતર્ગત લાભ મેળવવા માટે કોઈ મેડિકલ ટેસ્ટની જરૂર નથી.
યોજનામાં રોકાણ કર્યાના 10 વર્ષ બાદ પેન્શનની અંતિમ ચુકવણીની સાથે જ જમા રાશિ પણ પરત આપી દેવામાં આવે છે. જો પેન્શન મેળવનાર વ્યક્તિનું મૃત્યુ યોજના ખરીદવાના 10 વર્ષની અંદર થઇ જાય છે તો જમા રકમની કિંમત નામિત વ્યક્તિને રિફંડ કરી દેવામાં આ છે.
આ દસ્તાવેજોની પડશે જરૂર
પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં રોકાણ માટે તમારે ફૉર્મની સાથે નિમ્નલિખિત દસ્તાવેજ જમા કરાવવા પડશે. પેન કાર્ડની કૉપી, એડ્રેસ પ્રૂફ કૉપી, ચેકની કૉપી અથવા બેંક પાસબુકના પહેલા પેજની કૉપી કારણ કે તમારા આ અકાઉન્ટમાં પેન્શનના રૂપિયા આવી શકે.