ગરીબ લોકોને મકાન મળી રહે તે માટે સરકાર દ્વારા આવાસ યોજના લાગૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ લોકોને મકાન આપવામાં આવે છે. ત્યારે આવાસ યોજનામાં મકાનના ફોર્મ લેવા માટે રાજકોટમાં લાઈનો લાગી છે.
પ્રધાનમંત્રી આવાસ માટે રાજકોટમા આજથી ફોમૅનુ વિતરણ કરવામા આવ્યુ છે. લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે રાજકોટમાં 2176 આવાસ બનાવવાની મનપા દ્વારા જાહેરાત કરવામા આવી છે. આવાસ માટે આજે સવારથી બેંક અને મનપાના સીવીક સેન્ટર પરથી ફોર્મ આપવામા આવ્યા હતા. જોકે લોકોને કલાકો સુઘી ફોર્મ લેવા માટે લાઇનો ઉભા રહેવુ પડ્યુ હતુ એક ફોર્મના ખાનગી બેંક દ્વારા રૂપીયા 100 લેવામા આવતા હતા.
આપણા દેશના મધ્યમ અને ગરીબ વગૅના લોકો હમેંશા લાઇનોમા ઉભા રહેવુ પડે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ સપનુ છે કે દરેક લોકોને ઘરનુ ઘર મળે ત્યારે રાજકોટ મનપા દ્વારા રૂપીયા 3 લાખમા વન.બી.એચ.કે ફ્લેટ આપવાની જાહેરાત કરવામા આવી છે. આવાસ માટે આજથી લોકોને ફોર્મ આપવામા આવ્યા હતા. સવારથી લોકોને ભારે ધસારો જોવા મળતો હતો. જો કે લોકોને કલાક સુઘી લાઇનો ઉભા રહેવુ પડતુ હતુ. અમુક લોકોને સવારે છ વાગ્યાથી લાઇનોમાં ઉભા રહ્યા હતા.
મનપા કમિશ્નર બનછાનીધી પાનીએ જણાવ્યુ હતુ કે લોકોને ચિંતા કરવાની જરુર નથી. આગામી દિવસોમાં ફોર્મ વિતરણ યથાવત રહેશે. લોકોને મુશ્કેલી ન પડે તે માટે મનપા સીવીક સેન્ટરમાં પણ ફોર્મ વિતરણની વ્યવસ્થાઓ કરવામા આવી છે.