પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના દ્વારા 60 વર્ષની ઉંમર બાદ સ્વરોજગાર કે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આ યોજનાથી ૩૦૦૦ રૂપિયા પેન્શન મળશે.
કેન્દ્ર સરકાર દ્વારા PMSYM યોજનામાં મળશે 3000 રૂપિયા
મહીને માત્ર 55 થી 200 રૂપિયાનું રોકાણ
18 થી 40 વર્ષની વયમાં તમે નોંધણી કરાવી શકો
કેન્દ્ર સરકાર દ્વારા PMSYM યોજના ચાલુ કરવામાં આવી
અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સૌથી પહેલા એ ચિંતા સતાવતી હોય છે કે વધતી ઉંમરની સાથે તેઓ મજુરી નહીં કરી શકે. આવી સ્થિતિમાં ઘરનો ખર્ચ કેવી રીતે જશે તેની ચિંતા દરેક શ્રમીકને હોય છે. શ્રમીકોની આ સમસ્યાને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે પેન્શન યોજના શરૂ કરી છે. આ યોજનાનું નામ પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના છે.
કેટલું મળશે પેન્શન
આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયાના પેન્શનની સુવિધા મળે છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારે દર મહિને થોડી રકમનું રોકાણ કરવું પડે છે. આ રકમ 55 થી 200 રૂપિયાની વચ્ચે હશે. આ પછી તેમને દર મહિને પેન્શનની સુવિધા મળશે. તો ચાલો પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના (PMSYM) વિશે માહિતી મેળવીએ.
કોને મળશે લાભ ?
આ યોજનાનો લાભ સ્વરોજગાર કે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા લોકોને મળશે. આ ઉપરાંત ઘરકામ કરતા કામદારો, છૂટક મજૂરો, ખેતમજૂરો, રેલમાર્ગવાસીઓ તમામ આ યોજનાનો લાભ લઇ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જો તમે આવકવેરો ચૂકવો છો અથવા ઇપીએફઓ, એનપીએસ અને ઇએસઆઇસીના સભ્ય છો, તો તમને આ યોજનાનો લાભ મળશે નથી.
રોકાણ કેટલું કરવું પડશે
આ યોજના હેઠળ લાભાર્થીઓને 60 વર્ષની ઉંમર પછી 3,000 રૂપિયાના પેન્શનનો લાભ મળશે. એટલે કે તમને વાર્ષિક 36,000 રૂપિયાનો લાભ મળશે. આ યોજનાનો લાભ લેવા માટે તમે 18 થી 40 વર્ષની વયમાં આ યોજના માટે નોંધણી કરાવી શકો છો. તમારે દર મહિને 55 થી 200 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. જો પેન્શનરનું મૃત્યુ થાય છે, તો આવી સ્થિતિમાં તેની પત્ની અથવા પતિને પેન્શનની રકમ મળશે.