કેન્દ્ર સરકારે અસગંઠિત ક્ષેત્રના કામદારો માટે એક નવી પહેલ શરૂ કરી છે. આ સ્કીમ અંતર્ગત લોકો પોતાના સહાયક કર્મચારીઓને પેન્શન આપવામાં મદદ કરી શકશે.
અસગંઠિત ક્ષેત્રના કામદારો માટે એક નવી પહેલની શરૂઆત
લોકો પોતાના સહાયક કર્મચારીઓને પેન્શન આપવામાં મદદ કરી શકશે
શ્રમ મંત્રીએ ટ્વિટર પર પેન્શન યોજના શેર કરી
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે સહાયક કર્મચારીઓ માટે યોજના બનાવવા તેમજ પેન્શન ફંડમાં યોગદાન કરવાની પ્રક્રિયાને સરળ બનાવવાના પ્રયાસમાં સોમવારનાં રોજ પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના (Pradhan Mantri Shram Yogi Maan-Dhan Scheme) અંતર્ગત 'ડોનેટ-એ-પેન્શન' પ્રોગ્રામની શરૂઆત કરી. 7 માર્ચથી શરૂ કરવામાં આવેલ આ કાર્યક્રમ 13 માર્ચ સુધી મનાવવામાં આવી રહેલા 'આઇકોનિક વીક' માં શરૂ કરવામાં શ્રમ મંત્રાલયની અનેક પહેલનો એક ભાગ છે.
શ્રમ મંત્રીએ ટ્વિટર પર પેન્શન યોજના શેર કરી છે જ્યાં નાગરિક ઘરેલું કામદારો, ડ્રાઇવરો, ઘરેલુ નોકરો સહિત કર્મચારીઓ માટે પ્રીમિયમ યોગદાન દાન કરી શકે છે. માળીને દાન કરીને મારા નિવાસસ્થાને 'ડોનેટ-એ-પેન્શન' કાર્યક્રમ શરૂ કર્યો. તે (PMSYM) પેન્શન યોજના અંતર્ગત એક પહેલ છે કે જ્યાં નાગરિકો પોતાના સહાયક કર્મચારીઓ જેવાં કે ઘરેલું કામદારો, ડ્રાઇવરો, સહાયકો વગેરેનું પ્રીમિયમ યોગદાન દાન કરી શકે છે.
Launched ‘Donate-a-Pension’ programme at my residence by donating to the gardener. It is an initiative under (PM-SYM) pension scheme where citizens can donate the premium contribution of their immediate support staff such as domestic workers, drivers, helpers etc.#AmritMahotsavpic.twitter.com/4R5laKnIul
18-40 વર્ષની વચ્ચેના કામદારો દર વર્ષે ઓછામાં ઓછાં 660 થી 2400 રૂપિયા જમા કરાવી શકે
આ યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્રમાં 18-40 વર્ષની વચ્ચેના કામદારો પોતાની ઉંમરના આધારે દર વર્ષે ઓછામાં ઓછાં 660 થી 2400 રૂપિયા જમા કરાવી શકે છે. ત્યાર બાદ 60 વર્ષની ઉંમર બાદ તેમને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન મળશે.
શ્રમ મંત્રાલય અનેક પહેલની શરૂઆત કરશે
શ્રમ મંત્રાલય 'આઈકોનિક વીક' અંતર્ગત અનેક પ્રવૃત્તિઓ કરશે. આ પ્રવૃત્તિઓમાં ઈ-શ્રમ 25 કરોડ રજિસ્ટ્રેશનનો જશ્ન મનાવવો, ઉમંગ એપ પર ઈ-શ્રમનો શુભારંભ, 'ડોનેટ-એ-પેન્શન' નો પ્રારંભ, રાષ્ટ્રીય કારકિર્દી સેવા કેન્દ્રો દ્વારા જોબ ફેર, પ્લેસમેન્ટ ડ્રાઈવ અને પ્લેસમેન્ટલક્ષી શિબિરોનો સમાવેશ થાય છે.
સમગ્ર દેશમાં 20 પ્રાદેશિક કચેરીઓમાં મુખ્ય શ્રમ કમિશનર દ્વારા પ્રતિષ્ઠિત સપ્તાહ દરમિયાન વિવિધ શ્રમ કાયદાઓ હેઠળ કામદારો અને એમ્પ્લોયરોને તેમના અધિકારો અને પાલન વિશે જાગૃકતા લાવવા અને તેને સંવેદનશીલ બનાવવાં.
જો તમે તમારા ઘરેલુ સહાયકને PM શ્રમ યોગી માનધન યોજનાનો લાભ આપવા ઇચ્છો છો તો તે સરકારી જાહેર સેવા કેન્દ્ર પર જઈને તેનું PM-SYM એકાઉન્ટ ખોલાવી શકે છે. એ માટે અરજદાર પાસે આધાર કાર્ડ અને બેંક પાસબુક જેવાં જરૂરી દસ્તાવેજો હોવા જોઈએ. એકાઉન્ટ ખોલ્યા બાદ અરજદાર માટે શ્રમ યોગી કાર્ડ (Shram Yogi Card) પણ જારી કરવામાં આવે છે.
યોગદાનની રીત માસિક ધોરણ પર ઓટો-ડેબિટ દ્વારા થાય છે. જો કે, તેમાં ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક યોગદાન માટેની જોગવાઈઓ પણ હશે. પ્રથમ યોગદાન CSC માં રોકડમાં ચૂકવણી દ્વારા કરવામાં આવશે. સબ્સ્ક્રાઇબરના યોગદાનની વાસ્તવિક રકમ આકારણી યોજનાની પ્રવેશ ઉંમર પ્રમાણે નક્કી કરવામાં આવશે. 29 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાવવા પર લાભાર્થીએ દર મહિને 100 રૂપિયાનું યોગદાન આપવું જરૂરી છે.
શું ત્યાં છે કોઈ રજિસ્ટ્રેશનની સુવિધા?
હા, આ યોજના હેઠળ નોંધણીની સુવિધા ઉપલબ્ધ છે. લાભાર્થી કોઈ પણને નોમિનેટ કરી શકે છે. આ યોજના હેઠળ ફેમિલી પેન્શનની જોગવાઈ છે. આ ફક્ત સબસ્ક્રાઇબરના જીવનસાથીને જ લાગુ પડે છે.