મોદી સરકાર દ્વારા વિદ્યાર્થીઓ, યુવતીઓ, મહિલાઓ અને વૃદ્ધો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. ઘણી યોજનાઓ હેઠળ, બીપીએલ પરિવારોને મદદ પહોંચાડવામાં આવે છે.
મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી અલગ અલગ યોજનાઓ
બીપીએલ પરિવારોને પહોંચાડવામાં આવી રહી છે મદદ
બાળકના જન્મ પર આ યોજનામાં આપવામાં આવે છે પૈસા
કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજનાનું નામ 'પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના-PMMVY' છે. આ અંતર્ગત નવજાત શિશુની માતાને 5000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2017ના રોજ શરૂ કરવામાં આવી હતી.
મહિલાઓને આપવામાં આવે છે નાણાકીય સહાય
'પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના' હેઠળ, પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજનાને 'પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યોજનાનો હેતુ માતા અને બાળકના સ્વાસ્થ્યની કાળજી લેવાનો અને તેમને પૌષ્ટિક આહાર આપવાનો છે.
ત્રણ હપ્તામાં આપવામાં આવે છે પૈસા
યોજનાનો લાભ મેળવવા માટે પ્રથમ વખત ગર્ભવતી મહિલાના રજીસ્ટ્રેશન માટે, ગર્ભવતી અને તેના પતિનું આધાર કાર્ડ, બેંક પાસબુક ફોટો સ્ટેટસ હોવું જરૂરી છે. બેંક ખાતું સંયુક્ત ન હોવું જોઈએ. આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને ત્રણ હપ્તામાં 5000 રૂપિયાની રકમ આપવામાં આવશે.
સીધા મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર થાય છે રકમ
આ યોજનાનો ઉદ્દેશ્ય પ્રથમ વખત માતા બનતી મહિલાઓને પોષણ આપવાનો છે. 5000 રૂપિયામાંથી પ્રથમ હપ્તો 1000 રૂપિયા, બીજો હપ્તો 2000 રૂપિયા અને ત્રીજો હપ્તો 2000 રૂપિયાનો છે. સરકારી નોકરી કરતી મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકતી નથી. આ રકમ સરકાર તરફથી સીધી મહિલાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
તમે PM માતૃત્વ વંદના યોજના હેઠળ કરાવી શકો છો અરજી
તમે આશા અથવા ANM દ્વારા PM માતૃત્વ વંદના યોજના હેઠળ અરજી કરી શકો છો. આ માટે તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો. યોજનાનો લાભ તમામ મહિલાઓને આપવામાં આવે છે. પછી ભલે તેમની ડિલિવરી સરકારી હોસ્પિટલમાં થઈ હોય કે ખાનગી હોસ્પિટલમાં.