પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હેઠળ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા નહી પરંતુ 4000 રૂપિયા આવશે. મોદી સરકારે ખેડૂતોને રૂપિયા આપવાના પ્લાનમાં બદલાવ કર્યો છે. વાસ્તવમાં મોદી સરકાર લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ ખેડૂતોને 2 હપ્તા આપવાની તૈયારી કરી રહી છે જેથી ખેડૂતોના ખાતામાં સીધા 4000 રૂપિયા આવશે.
અંતરિમ બજેટમાં વિત્તીય મંત્રી પીષૂય ગોયલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સહાયતા રાશિની જાહેરાત કરી હતી. આ યોજનાથી લગભગ 12 કરોડ નાના તથા સીમાંત ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે. આ રાશિ સીધી તેમના બેંકના ખાતામાં 3 હપ્તામાં આપવામાં આવશે.
કોણ ઉઠાવી શકશે આ યોજનાનો ફાયદો:
આ યોજનાનો ફાયદો 2 હેક્ટર જમીન ધરાવતો ખેડુત ઉઠાવી શકે છે. સરકારનું કહેવું છે કે આ યોજનાની અંદર 12 કરોડ કિસાન આવી જશે.
કોણે નહી મળે ફાયદો:
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના દિશાનિર્દેશો અનુસાર તમામ સંસ્થાગત ભૂમિ ધારક સંવૈધાનિક પદ રાખનાર તમામ સેવારત અથવા સેવાનિવૃત અધિકારી કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓની સાથે સાથે સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમ (PSU) 10000 રૂપિયાથી વધારે માસિક પેન્શન ધરાવતા સેવાનિવૃત પેન્શનધારકો આવકવેરા ભરતા લોકો તથા ડૉક્ટરો-એન્જિનિયર જેવા યોજનાને બહાર રાખવામાં આવ્યા છે.