પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એક દુર્ઘટના વીમા યોજના છે. જેના દ્વારા વાર્ષિક 330 રૂપિયાનું પ્રીમિયમ જમા કરવા પર તમને 2 લાખ સુધીનું વીમા કવર મળે છે.
સરકારની આ યોજનાનો ઉઠાવો લાભ
330માં મેળવો 2 લાખનો ફાયદો
જાણો PMJJBY સ્કીમ વિશે જરૂરી વાતો
દેશમાં સરકાર દરેક વર્ગ માટે ઘણા પ્રકારની યોજનાઓ લઈને આવે છે. આ દરેક યોજનાઓનો હેતુ એ રહે છે કે દેશના દરેક ખૂણા સુધી સરકારી યોજનાઓનો લાભ મળે. એક સમય હતો જ્યારે લોકોનું એવું માનવું હતું કે વીમા પોલિસી ફક્ત અમીર અને મીડલ ક્લાસ લોકો જ લઈ શકે છે. પરંતુ હવે આ લાભ ગરીબ વર્ગના લોકો પણ લઈ શકે છે. સરકારે આ યોજના શરૂ કરી છે. જેના દ્વારા ગરીબ લોકોને 2 લાખ સુધી વીમા યોજનાનો લાભ મળે છે. આ યોદનાનું નામ છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના. આ યોજના હેઠળ તમને ફક્ત 330 રૂપિયા વાર્ષિક પ્રીમિયમ આપવાનું રહેશે.
PMJJBY સ્કીમ વિશે જરૂરી વાતો
આ સ્કીમને કેન્દ્રની મોદી સરકારે વર્ષ 2015માં શરૂ કરી હતી.
આ સ્કીમ હેઠળ વીમાધારકોને 330 રૂપિયા વાર્ષિક પ્રીમિયમ રકમના રૂપમાં જમા કરવી પડે છે.
આ વીમા ટર્મ ઈન્શ્યોરન્સની જેમ કામ કરે છે અને દર વર્ષે એપ્રિલ અને 31 મેના મહિના સુધી આ સ્કીનો સમયગાળો રહે છે.
આ સ્કીમને ખરીદવા માટે તમારી ઉંમર 18થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
આ સ્કીમમાં પ્રીમિયમ 1 જૂને બેન્ક ખાતામાં જમા થઈ જશે.
PMJJBY સ્કીમના મળે છે આ લાભ
તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એક દુર્ઘટના વીમા યોદના છે જેના દ્વારા વાર્ષિક 330 રૂપિયાનું પ્રીમિયમ જમા કરવા પર તમારે 2 લાખ સુધીનો વીમા કવર મળે છે. જો કોઈ વીમા ધારકનું મોત થઈ જાય છે તો તેના પરિવારને આવી સ્થિતિમાં 2 લાખ રૂપિયા સુધીનો વીમો મળે છે.
વીમાના પૈસા મેળવવા માટે નોમિનીને બેન્કનો સંપર્ક કરવો પોતાનું આધાર કાર્ડ બતાવવાનું હોય છે. ત્યાર બાદ વીમાધારકનું ડેથ સર્ટિફિકેટ બતાવીને તમે સરળતાથી પોતાનો ક્લેમ લઈ શકો છો. આ વીમાને ખરીદવા માટે તમે એલઆઈસી બ્રાન્ચમાં જઈને પોતાનું વીમા ખાતુ ખોલાવી શકો છો. આ ઉપરાંત તમે https://www.jansuraksha.gov.in/થી ફોર્મ કાઢીને ફિલ કરી બેન્કમાં જમા કરી આ વીમા યોજનાનો લાભ ઉઠાવી શકો છો.