આ વખતના રાષ્ટ્રજોગ પ્રવચનમાં પ્રધાનમંત્રી મોદીએ ગરીબોને દિવાળી સુધી એટલે કે નવેમ્બર સુધી મફત રેશન આપવાની મોટી જાહેરાત કરી છે.
રાષ્ટ્રજોગ પ્રવચનમાં ગરીબો માટે PM મોદીની મોટી જાહેરાત
80 કરોડ ગરીબોને દિવાળી સુધી મફત અનાજ મળતું રહેશે
કોરોનાની બીજી લહેરને કારણે ગરીબોના અનાજનો નિર્ણય લેવાયો
80 કરોડ ગરીબોને દિવાળી સુધી મફત અનાજ મળતું રહેશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ગરીબ કલ્યાણ યોજનાને દિવાળી સુધી લંબાવવામાં આવે છે. હવે નવેમ્બર 2021 સુધી દેશના 80 કરોડ ગરીબોને મફત અનાજ મળતું રહેશે. તેમણે કહ્યું કે કોરોનાની બીજી લહેરની વચ્ચે સંકટ પેદા થયું છે, તેથી હવે સરકાર આ યોજના લાવી રહી છે.
21 જૂન પછી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને ફ્રી વેક્સિન
PM મોદીએ જણાવ્યું કે 21 જૂન પછી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને કેન્દ્ર સરકાર તરફથી ફ્રી વેક્સિન આપવામાં આવશે. તેમણે કહ્યું કે પ્રાઇવેટ હોસ્પિટલ વેક્સિનની નિર્ધારિત કિંમત ઉપરાંત વધુમાં વધુ 150 રૂપિયા જ સર્વિસ ચાર્જ લઈ શકશે. વેક્સિનની એક એક ડોઝ ખુબ મહત્વપૂર્ણ છે એટલે કેન્દ્ર સરકાર દરેક રાજ્યને થોડા અઠવાડિયા પહેલા જ જાણ કરવામાં આવશે કે તેને ક્યારે કેટલી ડોઝ મળશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને દિવાળી સુધી આગળ વધારવામાં આવશે, 80 ગરીબોને નવેમ્બર સુધી મફત રાશન આપવામાં આવશે. આપણે સાવધાન પણ રહેવાનું છે અને કોરોનાથી બચાવના નિયમોનું પણ કડકાઈથી પાલન કરવાનું છે.
હવેથી વૅક્સિનેશનનું કાર્ય હવે કેન્દ્ર સંભાળશે
PM મોદીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે હવેથી વૅક્સિનેશનનું કાર્ય હવે કેન્દ્ર સંભાળશે. જેનો અર્થ કે હવેથી રાજ્ય સરકારોએ જાતે વૅક્સિન ખરીદવાની જરૂર નહીં રહે અને કેન્દ્ર જ નક્કી કરશે કે રાજ્યોને જરૂરિયાત પ્રમાણે વૅક્સિન અપાશે. કેન્દ્ર વૅક્સિનના કુલ ઉત્પાદનના 75 ટકાનો ભાગ ખરીદી લેશે. જ્યારે રાજ્યોમાં પ્રાઈવેટ હોસ્પિટલ પોતે ડાયરેક્ટ વૅક્સિન કંપની પાસેથી સીધી રીતે અગાઉની જેમ જ ખરીદી શકશે.