ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્ર ચાલી રહ્યુ છે. ચોમાસા સત્ર દરમિયાન પાક વીમા યોજનાને લઈને સવાલ કરાયો હતો. ત્યારે હવે ખેડૂતો કરતા વીમા કંપનીઓને લાભાલાભના આંકડા સામે આવ્યા છે. ખાનગી વીમા કંપનીઓને સરકાર અને ખેડૂતોએ અબજો રૂપિયા ચૂકવ્યા હોવાનું સામે આવ્યું છે.
વીમા કંપનીઓને બખ્ખા
ઉલ્લેખનીય છે કે, કંપનીઓને 28.67 અબજ રૂપિયા ચુકવવામાં આવ્યા છે. ખેડૂતોએ વીમા કંપનીઓને 4 અબજ રૂપિયા ચૂકવ્યા છે. રાજ્ય સરકારે 12.36 અબજ રૂપિયા વીમા કંપનીઓને ચૂકવ્યા છે.. જ્યારે કેન્દ્ર સરકારે 12.36 કરોડ રૂપિયા વીમા કંપનીઓને ચૂકવ્યા છે. હાલમાં વીમા કંપની અને ખેડૂતોને માત્ર 20.30 અબજ રૂપિયની ચૂકવણી કરી છે.
લલિત વસોયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
પાક વીમા મામલે લલિત વસોયાએ CMને પત્ર લખ્યો છે. આ પત્રમાં સરકાર કરોડો રૂપિયાનું પ્રિમિયમ ખાનગી કંપનીને ચૂકવે છે. પરંતુ ખાનગી કંપનીઓ ખેડૂતોને મામુલી રકમ ચૂકવતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જેને લઈને લતલિત વસોયાએ પત્રમાં પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનાની ગાઈડલાઈનમાં વીમો મરજિયાત કરવા માટે કરી છે. આ ઉપરાંત ખેડૂતોના હિતમાં વીમા કંપની બનાવવામાં આવે તેમ પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે.