કેન્દ્ર સરકારે શહેરી વિસ્તારમાં રહેનારા ગરીબ લોકોને મકાન ઉપલબ્ધ કરાવવા માટેના હેતુથી 1.4 લાખ નવા મકાનો બનાવવાની મંજૂરી આપી દીધી છે.
આ વિશે જાણકારી આવાસ તથા શહેરી વિકાસ મંત્રાલય દ્વારા એક જાહેરનામું આપીને આપવામાં આવી છે. આ મકાન પ્રધાનમંત્રી આવાસ યોજના-હાઉસિંગ ફોર ઓલ (શહેરી) હેઠળ 8 રાજ્યોમાં બનાવવામાં આવશે.
1,40,134 houses have been approved across 8 states in the 45th CSMC meeting chaired by @Secretary_MoHUA, Shri D S Mishra in New Delhi today.
ઉલ્લ્ખેનીય છે કે, આ યોજના હેઠળ બનાવવામાં આવેલાં મકાનોની સંખ્યા 85 લાખથી વધુ થઈ જશે. આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય તરફથી કરવામાં આવેલી ઑફિશ્યલ સાઇટ પર કરવામાં આવેલા ટ્વિટ અનુસાર વિભાગની કેન્દ્રીય મંજૂરી અને દેખરેખ સમિતિની 45મી બેઠક પછી 1,40,134 નવાં મકાનો બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. નવી દિલ્હીમાં થયેલી આ બેઠકમાં HUA (હાઉસિંગ અને શહેરી વિકાસ) સેક્રેટરી દુર્ગાશંકર મિશ્રાની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. આ અંતર્ગત 8 રાજ્યોમાં આ નવા ઘરો બનાવવામાં આવશે.
નવી મંજૂરીમાં સૌથી વધારે ફાયદો ઉત્તર પ્રદેશને થશે:
આ 1.4 લાખ મકાનોમાં ઉત્તર પ્રદેશમાં 54277, પ્રશ્ચિમ બંગાળમાં 26585, ગુજરાતમાં 26183, અસમમાં 9328, મહારાષ્ટ્રમાં 8499, છત્તીસગઢમાં 6507, રાજસ્થાનમાં 4947 અને હરિયાણામાં 3808 મકાન બનાવવામાં આવશે.
આ 8 રાજ્યોમાં કુલ 492 પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, જેની પર 6642 કરોડ રૂપિયા ખર્ચ આવશે. તેમાંથી 5 લાખ 3000 કરોડ રૂપિયાની મંજૂરી કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવી ચૂકી છે. આ યોજનાથી લોકોના ઘરના ઘર બનવાના સપના પૂરા થયા છે