હું બાંહેધરી આપું છું કે હિંન્દુ વિસ્તારમાં દવાખાનું નઈ જવા દઉ
ભાજપ નેતા પ્રદીપસિંહ વાઘેલાએ વીડિયો કર્યો ટ્વીટ
ગુજરાત ચુંટણીને લઇને રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે. આવા સમયે કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રજીત પરમારનું વિવાદીત નિવેદન સામે આવ્યું છે. પ્રચાર સભા દરમિયાન ઇન્દ્રજીત પરમારએ કહ્યું હતું કે ઘણા લોકો એવી ચર્ચા ચાલી રહી છે કે પરતું તમે મારી માટે અલ્લાહ સમાન છો અને મારા મા-બાપ છો. વધુમાં મુસ્લિમ સમાજએ મને પેટીઑ ભરીને મત આપ્યા હોવાથી હું લીધે ધારાસભ્ય બન્યો છું. તેવું પણ કહ્યું હતું. વધુમાં દવાખાનાણ ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું કે આ દવાખાનું પેલી બાજુ જાય તો કોઈ કામનું નથી. એમને દવાખાનાની જરૂર જ નથી. વધુમાં તેમણે કહ્યું કે "હું બાંહેધરી આપું છું કે હિંદુ વિસ્તારમાં દવાખાનું નઈ જવા દઉ". આ અંગેનો વિડીયો વાયરલ થતાં વિવાદ જાગ્યો છે. જેમાં ભાજપ નેતા પ્રદીપસિંહ વાઘેલાએ આ વીડિયો ટ્વીટ કરી નિશાન સાધ્યું છે.
મારી માટે તમે અલ્લાહ સમાન છો, મા-બાપ છો.
આ દવાખાનું પેલી બાજુ (હિંદુ વિસ્તારમાં)જાય તો કોઈ કામનું નથી. એમને દવાખાનાની જરૂર જ નથી! હું મુસ્લિમ સમાજના લીધે ધારાસભ્ય બન્યો છું.
હું બાંહેધરી આપું છું કે હિંદુ વિસ્તારમાં દવાખાનું નઈ જવા દઉ
- ઇન્દ્રજીત પરમાર (કોંગ્રેસના ધારાસભ્ય) pic.twitter.com/d7c5aToDwa
અગાઉ ચંદનજી ઠાકોરનું વિવાદીત નિવેદન સામે આવ્યું હતું
તાજેતરમાં જ કોંગ્રેસના ચંદનજી ઠાકોરનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં દેશને લઘુમતી સમાજ જ બચાવી શકે' તે અંગેના નિવેદનને લઇને સવાલો ઊભા થયા હતા. આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ટ્વિટર પર વાર કરતા કહ્યું કે આ શરમજનક શબ્દો છે. એટલુ જ નહીં હાર ભાળી ગયેલી કોંગ્રેસ ફરી લઘુમતી તુષ્ટિકરણ તરફ જતી હોવાના પણ ભૂપેન્દ્ર પટેલએ આક્ષેપ કર્યો છે. વધૂમાં એમ પણ લખ્યું હતું કે કોંગ્રેસને ખબર હોવી જોઈએ કે તેને હાર થી કોઈ બચાવી શકે નહીં. બીજી બાજુ કોંગ્રેસ પાસે હાલ કોઈ મુદા ન હોવાથી આ પ્રકારના નિવેદન આપતા હોવાનું પણ ઉમેર્યું હતું.
શું હતો સમગ્ર મામલો?
સિદ્ધપુર વિધાનસભા કોગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ચૂંટણીમાં મેદાને ઉતાર્યા છે. ત્યારે એક સભામાં તેમણે નિવેદન આપ્યું હતું. વિકાસના નામે ભાજપ વાળા મત લઇ ગયા બાદ કામગીરી ન કરતા દેશ ખાડામાં ધકેલાઇ ગયો છે. જે દેશને માત્રને માત્ર લઘુમતી સમાજ જ બચાવી શકે અને કોંગ્રેસ પક્ષ જ બચાવી શકે તેવું નિવેદન આપ્યું હતું. આ ઉપરાંત ધર્મના નામ સત્તાધારી પક્ષ પર આડેધડ પ્રહારો કર્યા હતા. જેને લઇને વિવાદ જાગ્યો હતો.