બી આર ચોપડાની મહાભારતથી રાજ બબ્બર, વર્ષા ઉસગાંવકર જેવા ઘણાં સ્ટાર્સે ડેબ્યૂ કર્યું હતું. બધાંએ આ સીરિયલ દ્વારા પોતાના કરિયરમાં ખૂબ પ્રસિદ્ધિ મેળવી હતી, પણ શું તમે જાણો છો કે મહાભારતમાં એવો પણ એક કલાકાર હતો જેણે આ સીરિયલમાં મહત્વની ભૂમિકા ભજવી પછી ફિલ્મોમાં પણ કામ કર્યું છતાં તેને ઓળખ મળી શકી નહીં. ચાલો જણાવીએ.
મહાભારતના 'અશ્વત્થામા' આમિર ખાન સાથે કરી ચૂક્યા છે કામ
ફિલ્મ ગજનીમાં વિલનના રોલમાં જોવા મળ્યો હતો આ એક્ટર
આજે આ એક્ટર છે ગુમનામ
અમે વાત કરી રહ્યાં છીએ પ્રદીપ રાવતની જે બી આર ચોપડાની મહાભારતમાં 'અશ્વત્થામા' બન્યો હતો. જી હાં, પ્રદીપ રાવતે મહાભારતમાં દ્રોણાચાર્યના પુત્ર 'અશ્વત્થામા'ની ભૂમિકા ભજવી હતી. સીરિયલમાં તેના કામની બધાંએ પ્રસંશા કરી હતી.
તમને જણાવી દઈએ કે, 'અશ્વત્થામા'ના કપાળ પર એક મણિ લાગેલી હોય છે પરંતુ 'અશ્વત્થામા' પાંડવોના બધાં જ બાળકોને મારી નાખવાનું મોટું પાપ કરે છે. જેના કારણે શ્રીકૃષ્ણ દંડ તરીકે તેની મણિ બહાર કાઢી લે છે અને તેને શ્રાપ આપે છે કે તેની આત્મા આ સંસારમાં હમેશાં ભટકતી રહેશે.
આ જ કારણથી 'અશ્વત્થામા' વિના મહાભારતની કહાની પૂરી થઈ શકે નહીં. આ ભૂમિકાને પ્રદીપ રાવતે તેની દમદાર એક્ટિંગથી જીવંત કરી દીધું હતું. આ સીરિયલમાં જબરદસ્ત એક્ટિંગ કર્યા બાદ પ્રદીપે સાઉથથી લઈને બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું.
પ્રદીપ રાવતને વર્ષ 2008માં આવેલી ફિલ્મ ગજનીથી જોરદાર લોકપ્રિયતા મળી હતી. આ ફિલ્મમાં આમિર ખાન હીરો હતો પરંતુ મેન વિલનનો રોલ પ્રદીપે નિભાવ્યો હતો. ફિલ્મમાં તે ગજની બન્યો હતો. આ ફિલ્મમાં તેની જોરદાર એક્ટિંગ દર્શકોના દિલમાં ભય પેદા કરી દીધો હતો.
જ્યારે આમિર ખાનની સાથે પ્રદીપે ફિલ્મ લગાનમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં પણ સાથી કલાકાર તરીકે પ્રદીપના કામના વખાણ થયા હતા. લગાનમાં પ્રદીપ સિંહ રાવતએ દેવા સિંહનો રોલ નિભાવ્યો હતો. પ્રદીપ સિંહએ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પણ ખૂબ કામ કર્યું છે. તેણે વર્ષ 2004માં આવેલી ફિલ્મ Syeમાં ફિલ્મફેર બેસ્ટ વિલનનો એવોર્ડ જીત્યો હતો. આ સિવાય આ જ ફિલ્મમાં તેનો અન્ય 2 એવોર્ડ પણ મળ્યા હતા.