હરિધામ સોખડા મંદિરમાં હરિપ્રસાદ સ્વામીના 88માં પ્રાગટ્ય દિવસ પુનઃ નવો વિવાદ ઉભો થયો છે. જેને લઈને પ્રબોધ સ્વામી જૂથના ભક્તો જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે
સોખડા હરિધામ મંદિરમાં ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. હરીપ્રસાદ સ્વામીના 88માં પ્રાગટ્ય દિવસની ઉજવણીને લઈ મંદિરમાં વિવાદ સર્જાયો છે. 11 મેના રોજ સોખડા હરિધામ મંદિર ખાતે પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રેમ સ્વરૂપ સ્વામિના દર્શન અને ચાદરવિધિનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીમાં સામેલ થવા માટે યોગી ડીવાઈન સોસાયટીના લેટર હેડ પર લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
આમંત્રણમાં ત્યાગવલ્લભ સ્વામીએ સહી કરતાં વિવાદ
જેમાં ત્યાગવલ્લભ સ્વામીએ સહી કરતાં વિવાદ વકર્યો છે. ત્યાગવલ્લભ સ્વામીની સહી થતાં પ્રબોધ સ્વામી જૂથના ભક્તો જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા પહોંચ્યા છે. ભક્તોએ રજૂઆત સાથે કોર્ટમાં કેસ ચાલતો હોવાથી પ્રેમ સ્વરૂપ સ્વીમીની ચાદરવિધિ ન થઇ શકે હોવાનું જણાવ્યું છે. સાથે આમંત્રણમાં ત્યાગવલ્લભ સ્વામીની સહી કેમ તેવો પણ સવાલ ઉઠાવ્યો છે.