બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / "Prabhu Ram Mata is incomplete without Sita, so we will build a grand Sita temple from Ram Mandir too": Chirag Paswan

ચૂંટણી / બિહાર ચૂંટણીમાં રામમંદિર કરતાં પણ વધુ મોટું અને ભવ્ય સીતા મંદિર બનાવવાની આ નેતાએ કરી જાહેરાત

Last Updated: 04:39 PM, 25 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચિરાગ પાસવાને કહ્યું કે "હું અહીં એક ભવ્ય સીતા મંદિર બનાવીશ. જે અયોધ્યાના રામ મંદિર કરતા મોટું હશે. ભગવાન રામ સીતા વગર અને સીતા વગર રામ અધૂરા છે."લોક જનશક્તિ પાર્ટી LJP ના પ્રમુખ ચિરાગ પાસવાને બિહારની ચૂંટણીને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે અયોધ્યામાં નિર્માણ પામનારા રામ મંદિરની જેમ જ પર સીતામઢી ખાતે ભવ્ય સીતા મંદિર બનાવવાનું કહ્યું છે.

  • ચિરાગ પાસવાને ભવ્ય સીતા મંદિર બનાવવાની જાહેરાત કરી
  • બિહારના સીતામઢીમાં ચૂંટણીના પ્રચાર અર્થે ગયા હતા ચિરાગ 
  • " LJP ના ઉમેદવારો ન હોય ત્યાં ભાજપને વોટ આપે જનતા" :ચિરાગ 

એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું છે કે સીતા મંદિર સાથે રામ મંદિરને જોડવા માટે એક કોરિડોર પણ બનાવવો જોઈએ. ચિરાગ પાસવાન આ દિવસોમાં પ્રચાર માટે સીતામઢીમાં છે. તેઓ પુનોરા ધામ મંદિર ગયા અને જાનકી માતાની પૂજા-અર્ચના કરી. પૂજા અર્ચના પછી મીડિયા સાથે વાત કરતા તેમણે આ વાત કરી હતી.

"હું ભવ્ય સીતામંદિર બનાવીશ": ચિરાગ પાસવાન 

ચિરાગ પાસવાને કહ્યું કે "હું અહીં એક ભવ્ય સીતામંદિર બનાવીશ. જે અયોધ્યા ના રામ મંદિર કરતા મોટું હશે. ભગવાન રામ સીતા વગર અને સીતા વગર રામ અધૂરા છે. તેથી એક કોરિડોર બનાવવામાં આવશે જે સીતામઢીને અયોધ્યા સાથે જોડશે."

આ સમય દરમિયાન, લોક જનશક્તિ પાર્ટીના વડા ચિરાગ પાસવાને તેમનો બિહાર ફર્સ્ટ બિહારી ફર્સ્ટ વિઝન ડોક્યુમેન્ટને લોન્ચ કર્યો, જેમાં બિહારની ઘણી સમસ્યાઓના સમાધાનો છે. તેમણે કહ્યું કે બિહારમાં ઘણી મોટી દૈવી શક્તિઓનો જન્મ થયો, પરંતુ દુર્ભાગ્યવશ, રાજ્યના વારસોને બચાવવા માટે કોઈએ પ્રયાસ કર્યો નથી. રાજ્ય સરકારની આવક પણ આમાંથી વધશે. તેનાથી સીતામઢીમાં ધાર્મિક પર્યટનને વેગ મળશે.

"ભાજપને વોટ આપે જનતા": ચિરાગ પાસવાન 

અગાઉ ચિરાગ પાસવાને તેના ટ્વિટર હેન્ડલથી નીતીશ કુમારના વિરોધમાં વધુ એક ટ્વીટ કર્યું હતું. તેમણે તેમના સમર્થકોને અપીલ કરી છે કે એલજેપીના ઉમેદવારો ચૂંટણી લડતા હોય ત્યાં બિહાર ફર્સ્ટ, બિહારી ફર્સ્ટને લાગુ કરવા માટે આપ સૌને વિનંતી છે, જ્યારે અન્ય સ્થળોએ તે ભારતીય જનતા પાર્ટીના સાથીઓને આપો. આવનારી સરકાર નીતીશ મુક્ત સરકાર બનાવશે. અસંભવ નીતિશ.

સંકળાયેલા મુદ્દાઓ

BJP Bihar Election 2020 Chirag Paswan LJP bihar elections 2020 ચિરાગ પાસવાન રામ મંદિર Bihar elections 2020
Nirav
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ