કોરિયોગ્રાફર પ્રભુદેવાએ સપ્ટેમ્બર મહિનામાં બિહારની એક ફિઝીયોથેરાપિસ્ટ સાથે લગ્ન કરી લીધા છે. લગ્નની સેરેમની મુંબઇના પ્રભુદેવાના ઘરમાં થયા હતા.
પ્રભુદેવાએ કરી લીધા લગ્ન
સપ્ટેમ્બર મહિનામાં બંને બંધાયા લગ્નના તાંતણે
બિહારની ફિઝીયોથેરાપિસ્ટ સાથે કર્યા લગ્ન
કપલ હાલ ચેન્નઇમાં છે. પ્રભુદેવાએ આટલા દિવસોથી તેના લગ્ન સિક્રેટ રાખ્યા હતા. પ્રભુદેવા આ ફીઝીયોથેરાપિસ્ટને ત્યારે મળ્યા જ્યારે તેમના બેકમાં પેઇન હતુ અને તેની ટ્રીટમેન્ટ માટે ગયા હતા અને ત્યાં જ તેમનો પ્રેમ પાંગર્યો હતો.
બંનેએ એકબીજાને થોડો સમય ડેટ કર્યા અને સપ્ટેમ્બરમાં લગ્ન કરી લીધા હતા. ગયા અઠવાડિયે એવી અફવા વાયરલ થઇ હતી કે પ્રભુદેવા તેની ભત્રીજી સાથે જ લગ્ન કરવાના છે.
સૂત્રો અનુસાર પ્રભુદેવાએ તેની ભત્રીજી સાથે લગ્ન નથી કર્યા તે અફવા સાવ ખોટી છે અને તેણે એક ડૉક્ટર સાથે લગ્ન કર્યા છે બંને હાલ ચેન્નઇમાં છે.
પ્રભુદેવાએ લગ્નને લઇને કોઇ જ ઓફિશીયલ અનાઉન્સમેન્ટ કરી નથી. કોરોના વાયરસના કારણે પ્રભુદેવાએ પ્રાઇવેટ સેરેમનીમાં જ લગ્ન કર્યા.
પ્રભુદેવાના લગ્ન પહેલા રામલતા સાથે થયા હતા. તેમને ત્રણ બાળકો હતા પરંતુ તેમના મોટા દિકરાનું 2008માં કેન્સરથી નિધન થઇ ગયુ હતુ. 2011માં રામલતા સાથે ડિવોર્સ લઇ લીધા હતા.