પ્રભાત યાદવે ગઢડાના ધારાસભ્ય પર કર્યા આરોપ, કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય કુંવરજી બાવળીયા સહિતના કોળી સમાજના આગેવાનો હાજર હતા.
વીંછીયામાં કોળી સમાજનું સ્નેહમિલન
"સમાજના તમામ લોકોને વિનંતી છે"
"2022માં ભૂલ ન થાય તે ધ્યાન રાખજો"
રાજકોટના વીંછીયામાં કોળી સમાજનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં બોટાદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રભાત યાદવે ગઢડાના ધારાસભ્ય આત્મારામ પરમાર પર મોટો આરોપ લગાવ્યો છે. પ્રભાત યાદવે કહ્યું કે આત્મારામ પરમાર મત વિસ્તારમાં દેખાતા જ નથી. આત્મારામ પરમાર ક્યારેક તો વર્ષે દેખાય છે. આત્મારામ કેટલી વાર જીત્યા છે અને કેટલી વાર હાર્યા છે. અગાઉ આત્મારામ પરમાર ખોવાયા છે તેવા મેસેજ પણ કરવા પડ્યા હતા. ગઢડાના ધારાસભ્ય આત્મરામ પરમાર હાલમાં સુરતમાં રહે છે. કોળી સમાજના આગેવાનના આરોપથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે. આ સાથે જ તેમને કહ્યું કે, સમાજના તમામ લોકોને વિનંતી છે...2022માં ભૂલ ન થાય તે ધ્યાન રાખજો. કુંવરજી બાવળિયા સમાજનો તાજ છે.
આત્મારામ પરમાર વિશે શા માટે આ બોલાયું ?
આત્મરામ પરમાર છેલ્લા 25 વર્ષથી ગઢડાના પ્રતિનિધિ રહ્યા છે
આત્મરામ પરમાર ગઢડાની અનામત સીટ પર ધારાસભ્ય છે
પરમાર સુરતમાં વસવાટ કરે છે અને મતવિસ્તાર ગઢડા છે
આ સંજોગોમાં આત્મરામ પરમાર સામે સ્થાનિક લોકો પ્રશ્ન કરી રહ્યા છે
શક્ય છે આત્મરામ પરમાર રોજ-બરોજ ગઢડામાં સ્થાનિક લોકો વચ્ચે ન હોય
સ્થાનિક ન હોવાથી લોકોના પ્રશ્નો મુદ્દે પણ લોકોને પ્રશ્ન હોય તો સ્વાભાવિક છે
પ્રભાત યાદવ પર કાર્યવાહી કરવા માંગ: પ્રવિણ કોળી, કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
બોટાદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રભાત યાદવ નિવેદનથી ભાજપમાં રાજકારણ ગરમાયુ છે ત્યારે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની પ્રતિક્રિયા સામે આવી છે. પ્રવિણભાઈ કોળીએ આત્મારામ પરમારનો બચાવ કરતાં કહ્યું છે કે પ્રભાત યાદવે જુઠ્ઠાણું ચલાવ્યું છે. આત્મારામ પરમાર હમેશાં લોકોની વચ્ચે રહી ગઢડા વિધાનસભા બેઠક પર સક્રીય કામગીરી કરે છે. સાથે જ સમાજના આગેવાનોને ખોટા નિવેદનો કરનાર પ્રભાત યાદવ પર કાર્યવાહી કરવા માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે પ્રતાપભાઈ યાદવ ના ધર્મપત્ની હાલ અત્યારે બોટાદ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે કાર્યરત છે. ત્યારે આગામી 2022 ની ચૂંટણીમાં કોળી સમાજ માં રહેલો આ ભારેલો અગ્નિ ભારતીય જનતા પાર્ટીની નાવ તારે છે કે પછી ડુબાડે છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.