પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એ રોકાણનો સૌથી જૂનો અને સૌથી વિશ્વસનીય માર્ગ છે, જેમાં તમને સલામતી સાથે સારું વળતર મળે છે. તે તમને ટેક્સ બચાવવામાં પણ મદદ કરે છે.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ રોકાણનો સૌથી જૂનો રસ્તો
સલામતી સાથે મળશે સારૂ વળતર
ટેક્સ બેનેફિટ્સ પણ મળશે
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPF એ રોકાણની એક શ્રેષ્ઠ વિકલ્પ છે. જેમાં તમને સારું વળતર મળે છે, સાથે જ ટેક્સમાં છૂટ પણ મળે છે. આ E-E-E શ્રેણીમાં આવતા રોકાણ છે. એટલે કે રોકાણ, વ્યાજ અને પાકતી મુદતની રકમ પર કોઈ ટેક્સ લાગતો નથી.
પીપીએફમાં રોકાણ તમને વાર્ષિક રૂ. 1.5 લાખ સુધીના રોકાણ પર કર મુક્તિ આપે છે. આ જ કારણ છે કે લોકો પીપીએફમાં રોકાણને કરવાનું પસંદ કરે છે. પરંતુ તમે આ રોકાણથી વધુ નફો પણ મેળવી શકો છો. જો તમે પીપીએફમાં રોકાણ કરતા પહેલા કેટલીક મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં રાખશો તો તમને ફાયદો થશે.
PPFમાં રોકાણની મર્યાદા થશે બમણી
PPFમાં રોકાણકારોને એશ્યોર્ડ રિટર્નની સાથે રૂ. 1.5 લાખ સુધીના રોકાણ પર આવકવેરાની કલમ 80C હેઠળ આવકવેરામાં છૂટ પણ મળે છે. ઘણી વખત એવું પણ બને છે કે પીપીએફ રોકાણની મર્યાદા પૂરી થઈ ગયા પછી પણ રોકાણકાર પાસે પૈસા બચે છે અને તે રોકાણના વિકલ્પો શોધતો હોય છે.
ટેક્સ નિષ્ણાતોના મતે, જો રોકાણકાર પરિણીત છે, તો તે તેની પત્ની અથવા પતિના નામ પર પીપીએફ ખાતું ખોલાવી શકે છે અને તેમાં 1.5 લાખ રૂપિયા અલગથી રોકાણ કરી શકે છે.
PPFમાં રોકાણથી મળે છે આ ફાયદા
નિષ્ણાંતોના મતે જો તમે તમારા જીવનસાથીના નામે PPF ખાતું ખોલાવશો તો પીપીએફ રોકાણની મર્યાદા પણ બમણી થઈ જશે. જો કે તે પછી પણ ટેક્સ છુટની મર્યાદા 1.5 લાખ રૂપિયા રહેશે. ભલે તમને 1.5 લાખ આવકવેરામાં છૂટ મળે પરંતુ તેના બીજા ઘણા ફાયદા છે. પીપીએફ રોકાણ મર્યાદા બમણી થઈને રૂ. 3 લાખ થાય છે. E-E-E શ્રેણીમાં હોવાથી, રોકાણકારને PPFના વ્યાજ અને પાકતી મુદતની રકમ પર કર મુક્તિ મળે છે.
આ જોગવાઈઓની કોઈ અસર નથી
ઈનકમ ટેક્સના સેક્સન 64 હેઠળ તમારા અને તમારી પત્નીને આપવામાં આવેલી કોઈ રકમ અથવા ગિફ્ટથી થયેલી આવક તમારા ઈનકમમાં જોડવામાં આવશે. જોકે PPFના મામલામાં EEEના કારણે સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રી છે. ક્લબિંગની જોગવાઈની કોઈ અસર નથી પડતી.
પરિણીત લોકો માટે શાનદાર ટ્રિક
આમાં જ્યારે તમારા પાર્ટનરનું PPF એકાઉન્ટ મેચ્યોર થાય છે. ત્યારે તમારા પાર્ટનરના PPF એકાઉન્ટમાં તમારા શરૂઆતી રોકાણની આવક વર્ષ-દર વર્ષે તમારી આવકમાં ઉમેરવામાં આવશે. તેથી આ વિકલ્પ પરિણીત લોકોને PPF ખાતામાં તેમનું યોગદાન બમણું કરવાની તક પણ આપે છે.
ખાસ કરીને એ લોકો માટે આ સારો વિકલ્પ છે જે ઓછું જોખમ ઉઠાવવા માંગે છે અને તે NPS, મ્યુચુઅલ ફંડ જેવા માર્કેટ લિંક્ડ રોકાણ ન કરવા માંગતા હોય. જ્યાં જોખમનો ખતરો વધારે રહે છે. તમને જણાવી દઈએ કે જુલાઈ-સપ્ટેમ્બર ત્રણ મહિના માટે PPFના વ્યાજ દર 7.1 ટકા નક્કી કરવામાં આવ્યા છે.