PPF એકાઉન્ટ (PPF Account) રાખનારાઓ માટે મોટા સમાચાર સામે આવ્યાં છે. જો તમે પણ PPF માં રોકાણ કરવા ઇચ્છો છો અથવા તો પછી તમે પૈસા લગાવવાનો પ્લાન કરી રહ્યાં છો તો કેન્દ્ર સરકાર તરફથી નિયમોમાં મોટો ફેરફાર થવા જઇ રહ્યો છે.
PPF એકાઉન્ટમાં રોકાણ કરનારાઓ માટે મોટા સમાચાર
સરકાર તરફથી લાગુ કરાયા નવા નિયમ
સીધી જ તેની અસર રોકાણકારો પર પડશે
નાણામંત્રાલયે આપી માહિતી
સરકાર તરફથી એક નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે જેની સીધી જ અસર ખાતાધારકો પર પડશે. માહિતી આપતા નાણામંત્રાલયે જણાવ્યું કે, 12 ડિસેમ્બર 2019 નાં રોજ અથવા તો પછી જો કોઇ એક જ વ્યક્તિએ 2 એકાઉન્ટ ઓપન કરાવ્યા હોય અથવા તો તેનાથી વધારે PPF એકાઉન્ટ હોય તો તેઓ મર્જ કરી શકશે નહીં. તમને જણાવી દઈએ કે, નાણામંત્રાલયે એ માટે ઓફિસ મેમોરેન્ડમ પણ જારી કર્યું છે.
એકાઉન્ટ્સ મર્જ કરવામાં નહીં આવે
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ સંસ્થા 12 ડિસેમ્બર અથવા તો ત્યાર બાદ ખોલેલા તમામ PPF એકાઉન્ટોને મર્જ કરવાની રિક્વેસ્ટને ન મોકલે અને ન તો તેનો સ્વીકાર કરે. તમને જણાવી દઈએ કે, સરકારે તેની પાછળ PPF ના વર્ષ 2019 ના નિયમો વિશે જણાવ્યું છે.
માત્ર એક જ એકાઉન્ટ થશે એક્ટિવ
તમને જણાવી દઇએ કે, સરકાર તરફથી જારી કરવામાં આવેલ ઓએમમાં જણાવવામાં આવ્યું છે કે, 12 ડિસેમ્બર 2019 બાદ ખોલવામાં આવેલા એકાઉન્ટ 2 અથવા તો તેનાથી વધારે એકાઉન્ટમાં માત્ર એક જ PPF એકાઉન્ટને એક્ટિવ રાખવામાં આવે. એ સિવાય અન્ય એક્ટિવ એકાઉન્ટને બંધ કરી દેવામાં આવશે.
નહીં આપવામાં આવે એકાઉન્ટ પર વ્યાજ
એ સિવાય સરકારે જાણકારી આપીને જણાવ્યું કે, 'બંધ કરવામાં આવેલ કોઇ પણ એકાઉન્ટ પર વ્યાજ નહીં આપવામાં આવે.'
પબ્લિક પ્રોવિડેંટ ફંડ (PPF)
PPF એકાઉન્ટ રાખનારા માટે મિનિમમ બેલેન્સ 500 રૂપિયા છે અથવા તો તમને તેમાં વાર્ષિક ઓછામાં ઓછાં 500 રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે નહીં તો તમારું એકાઉન્ટ બંધ થઇ જાય છે. તેમાં પૈસા નાખવાની અંતિમ તારીખ 31 માર્ચ, 2022 છે તો તમે તેની પહેલાં આ મિનિમમ બેલેન્સ નાખી દો. જો તમે અંતિમ તારીખ સુધીમાં પૈસા નથી નાખતા તો તમારે પ્રતિ વર્ષના હિસાબથી 50 રૂપિયાનો દંડ આપવો પડશે.