પી.પી.સવાણી ગ્રુપ દ્વારા દર વર્ષે ચૂંદડી મહિયરન નામે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે.
સવાણી ગ્રુપ દ્વારા ૩૦૦ દીકરીઓનો લગ્નોત્સવ
હિન્દુ-મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી ધર્મની દીકરીઓનો સમાવેશ
કોરોના વોરિયર્સના હસ્તે કન્યાદાન
10 વર્ષમાં 3 હજાર દીકરીઓના કરાવ્યા લગ્ન
ત્યારે આ વર્ષે પણ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 4થી અને 5મી ડિસેમ્બર બે દિવસ ૩૦૦ દીકરીઓના લગ્નોત્સવનું આયોજન કરાયું છે. આ 300 દીકરીઓમાં 9 મહારાષ્ટ્રની, 2 યુપીની, 1 પંજાબની અને એક દિલ્હીની દીકરીનો સમાવેશ થાય છે.
300 દીકરીઓના એકસાથે લગ્નગ્રંથિએ જોડાશે
પીપી સવાણી ચૈતન્ય વિધાસંકુલના ગ્રાઉન્ડમાં યોજાયેલ આ સમૂહલગ્નમાં હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ધર્મની 300 દીકરીઓ તેમની ધર્મ-વિધિ પ્રમાણે પ્રભુતામાં પગલાં પાડશે.
2 દિવસ કરાયું ભવ્ય આયોજન
આપને જણાવી દઈએ કે, બે દિવસના આ ભવ્ય લગ્ન સમારોહમાં કોવિડની ગાઈડલાઈન પ્રમાણે મર્યાદિત લોકોની હાજરી સાથે બે દિવસમાં સવાર-સાંજ એમ ચાર તબક્કામાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.
103 દીકરીઓ તો આશરા વગરની
આ વર્ષે 300 દીકરીઓમાંથી 103 દીકરીઓ એવી છે કે, જેને પિતા અને માતા કે મોટાભાઈ એવો કોઈ આશરો નથી. આ સમૂહ લગ્નોત્સવમાં પ્રથમ વખત શીખ પરિવારની દીકરીનાં પણ લગ્ન લેવાશે.