લસણમાં એન્ટીબાયોટિક તત્વ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરમાં બીમારીઓ સામે લડવાની તાકાત વધારે છે. જાણો તેનો ખાસ પ્રયોગ.
મહામારીમાં અક્સીર ઔષધી છે લસણ
શરદી-ખાંસીમાં મોંઘી દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે
ગંભીર રોગો સામે કરશે રક્ષણ
લસણને શાકભાજીમાં નાખ્યાં સિવાય તેની ચા બનાવીને પણ પી શકાય છે. તેમાં એન્ટીબાયોટિક અને એન્ટીઓક્સીડેન્ટ્સ હોવાને કારણે તેની ચા સ્વાસ્થ્યને અનેક રીતે લાભ પહોંચાડે છે અને બીમારીઓથી પણ બચાવે છે. આમાં એલિસિન નામનું એક તત્વ હોય છે. જે બેસ્ટ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઓક્સીડેન્ટ માનવામાં આવે છે. તેની ચા બનાવીને પીવો.
સૌથી પહેલાં પાણીને ઉકાળો અને પછી તેમાં આદુ અને લસણ પીસીને નાખો. હવે તેને 15-20 મિનિટ ઉકાળો. પછી ગેસ બંધ કરીને 10 મિનિટ ઠંડુ થવા દો. પછી આ મિશ્રણ ગાળીને તેમાં મધ, લીંબુનો રસ મિક્સ કરીને પીવો. સવારે ખાલી પેટ આને પીવો.
ફાયદા
આ નેચરલ એન્ટીબાયોટિકની જેમ કામ કરે છે. જેથી શરદી-ખાંસી જેવી સિઝનલ પ્રોબ્લેમ થતી નથી.
આ શરીરમાં રહેલાં ટોક્સિન્સ (હાનિકારક તત્વો) બહાર કાઢે છે. જેથી બોડીમાં ફેટ જમા થતું નથી અને વજન કંટ્રોલમાં રહે છે.
લસણમાં નેચરલ એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાયરલ અને એન્ટીફંગલ ગુણ હોય છે. જે બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે અને ઈમ્યૂનિટી વધારે છે.
લસણમાં રહેલું એલિસિન તત્વ પેટ સંબંધી સમસ્યાઓ દૂર કરીને પાચનતંત્રને મજબૂત બનાવે છે.
લસણમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. જે કેન્સર સેલ્સને વધતાં રોકે છે અને કેન્સર થવાની સંભાવના ઘટાડે છે.
લસણથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે. જેનાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. જે હાર્ટની બીમારીઓ થવાની સંભાવના ઘટાડે છે.
લસણમાં વિટામિન એ, બી1, બી2 અને સી હોય છે. જે સ્કિનને હેલ્ધી અને ગ્લોઈંગ રાખવામાં મદદ કરે છે.
લસણમાં એન્ટીબેક્ટેરિયલ તત્વ હોય છે. જેથી દાંત દર્દ થવા પર લસણને વાટીને તેની પેસ્ટ લગાવવાથી દુખાવો દૂર થાય છે, તમે લસણની ચા બનાવીને પીશો તો તેનાથી પણ ફાયદો થશે.