અનેક રજૂઆત છતાં કોઈ સાંભળતું નથી, શું આવી રીતે કામ થાય છે ગુજરાતમાં?c
તૌકતેના ડામથી હજૂ શિયાળબેટ પીડિત
7 મહિના થયા..પરંતુ અંધારામાં જીવે છે લોકો
શિયાળબેટમાં હજુ વીજ પૂરવઠો ખોરવાયેલો
વીજળી આજના સમયમાં સૌકોઈ માટે મહત્વપૂર્ણ બની ગઈ છે.પરંતુ છેલ્લા 7 મહિનાથી ગુજરાતના એક ભાગમાં 10 હજાર લોકો વીજળી વિના જ જીવી રહ્યા છે..કારણ કે, તૌકતે વાવાઝોડા બાદ અહીં વીજળી જ નથી પહોંચી.અને હજૂ પણ વીજ વિભાગને અહીં વીજળી પહોંચાડવામાં ઉતાવડ ન હોય તેવું લાગી રહ્યું છે.
10 હજારની વસ્તી શિયાળબેમાં રહે છે
તૌકતે વાવાઝોડાએ કેટલા પ્રમાણમાં તારાજી સર્જી હતી.તે આપણે સૌકોઈ સારી રીતે જાણીએ છીએ..કારણ કે, મહિનાઓ સુધી લોકો આ તારાજીના ડામમાંથી ઉભરી નહોતા શક્યા.અને કેટલાક લોકો હજૂ પણ ઉભરી રહ્યા છે.ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના મોટા ભાગના તાલુકાઓ અને ગામડાઓમાં તો વીજળી પહોંચી ગઈ છે.પરંતુ અમરેલી જિલ્લાના શિયાળબેટ ટાપુમાં વીજ પુરવઠો હજુ સુધી ચાલું નથી થયો.જેના કારણે 10 હજારની વસ્તી ધરાવતા શિયાળબેટના લોકો ખુબ મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે.
તૌકતે વાવાઝોડા દરમિયાન પાણીની પાઈપલાઈન અને વીજળી કનેક્શન તૂટી ગયા
શિયાળબેટ એટલે કે, ટાપુ વચ્ચે વસેલું 10 હજાર લોકોની વસ્તી ધરાવતું ગામ..અહીં જવા માટે પીપાવાવ પોર્ટ પરથી હોડીમાં જવું પડે છે.અને અહીં પહોંચતા અંદાજીત 20 થી 25 મિનિટ જેટલો સમય થાય છે.શિયાળબેટ સુધી પાણી અને વીજળીની વ્યવસ્થા દરિયામાં અંદરથી કરાઈ છે.અહીં વીજળી ફાઇબર ઓપ્ટિકલ્સની મદદથી પહોંચાડવામાં આવે છે. પરંતુ તૌકતે વાવાઝોડા દરમિયાન પાણીની પાઈપલાઈન અને વીજળી કનેક્શન બધું જ તહેસનહેસ થઈ ગયું.અને ત્યાર બાદ સ્થાનિક લોકોએ અને ધારાસભ્યએ પણ વીજળી મુદ્દે અનેક રજૂઆતો કરી.પરંતુ આજ સુધી અહીં તંત્રના એકપણ અધિકારીએ વીજ પૂરવઠો ફરી ચાલું કરવા અંગે વિચાર્યું જ નથી..
7 મહિના પછી પણ શિયાળબેટમાં વીજળી નથી પહોંચી?
વીજળી ન પહોંચવાના કારણે અહીં લોકોને પીવાના પાણી સહિતની અનેક સમસ્યાઓ પડી રહી છે.હાલમાં જનરેટર મારફતે લોકોને કુવા અને બોરમાંથી પાણી આપવામાં આવી રહ્યું છે.ત્યારે સવાલ એ થાય છે કે, કેમ 7 મહિના પછી પણ શિયાળબેટમાં વીજળી નથી પહોંચી? કેમ શિયાળબેટના લોકો સુધી પીવાનું પાણી નથી પહોંચી રહ્યું? શું તંત્રને અહીં વસતા 10 હજાર લોકોના વિકાસમાં રસ નથી? શું સરકારને શિયાળબેટના લોકોની સમસ્યા નથી દેખાતી..? સવાલો અનેક છે.ત્યારે આશા રાખીએ કે, સરકાર અને તંત્ર શિયાળબેટના લોકોને પડતી મુશ્કેલીઓને સમજશે.અને વહેલીતકે તેમની સમસ્યાઓનું સમાધાન લાવશે.