કેન્દ્રીય વીજળી મંત્રી (Power Minister) આર કે સિંહે કહ્યું છે કે સરકારે ગરીબોની મદદ માટે રસોઇ બનવા માટે વિદ્યુત (વીજળી)ના ઉપયોગને પ્રોત્સાહિત કરવાનો વિચાર કરી રહી છે. વીજળી મંત્રાલયના નિવેદન અનુસાર મંત્રીએ કહ્યું કે સમાજમાં ગરીબ લોકોને પોતાની રોજે-રોજની જરૂરિયાત પુરી કરવા માટે સસ્તા વિકલ્પ તરીકે વીજળી ઉપલબ્ધ કરાવામાં આવશે. જેનાથી ન માત્ર દેશ આત્મનિર્ભરતા તરફ અગ્રેસર થશે, પરંતુ આયાત (પેટ્રોલિયમ) પર નિર્ભરતા ઘટાડવા માટે મદદ મળશે.
આર કે સિંહે કહ્યું, વીજળી ભારતનું ભવિષ્ય છે અને આવનારા સમયમાં દેશની વધારે પ્રાથમિક સુવિધાઓ વીજળી-ઉર્જા પર નિર્ભર હશે. સિંહે કહ્યું કે સરકારે મંત્રાલયના સ્તર પર એક પાવર ફાઉન્ડેશનનું ગઠન કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. તેના લક્ષ્યમાં રસોઇ કામમાં માત્ર વીજળીનો ઉપયોગ કરવાનું સામેલ છે.
તેનાથી માત્ર આપણી અર્થવ્યવસ્થા આત્મનિર્ભર હશે પરંતુ આયાત નિર્ભરતા પણ ઘટાડવામા મદદ મલશે. સિંહે કહ્યું કે અમારી સરકાર ગરીબોના કલ્યાણ માટે કાર્યરત છે અને આ પગલુ સમાજના ગરીબ વર્ગને રસોઇ બનાવવા માટે સસ્તો વિકલ્પ ઉપલબ્ધ કરાવશે.
પાવર મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકડાઉન દરમિયાન ગરીબોને ધ્યાનમાં રાખતા પીએમ આવાસ યોજના અને હર ઘર વીજળી (દરેક ઘરમાં વીજળી) જેવી યોજનાઓ પર કામ કરવાનું ચાલુ રાખ્યું. મંત્રીએ એનટીપીસીના અલગ-અલગ પ્રયત્નોની પ્રશંસા કરી, જે દેશમાં આર્થિક વિકાસની દિશામાં વીજળી ઉત્પાદક કંપનીની કટિબદ્ધતા દર્શાવે છે.
આર કે સિંહે કહ્યું કે હંમેશાથી સાર્વજનિક ઉપક્રમોની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવામાં આવ્યાં છે, પરંતુ જો એનટીપીસી અને સાર્વજનિક ઉપક્રમોના પ્રદર્શને ધ્યાનમાં રાખીએ તો સ્પષ્ટ છે કે આ પ્રયત્ન અન્ય ખાનગી કંપનીઓ કરતા સારા રહ્યાં છે અને પ્રગતિની સાથે લાભની કમાણી કરે છે.