નાણાંમંત્રી કનુ દેસાઈએ વાપીમાં ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપી, જે બાદ તેમણે ગુજરાતના વીજ સંકટને લઈ નિવેદન આપ્યું હતું
રાજ્યમાં વીજ સંકટ ઉભું નથી થયું- કનુ દેસાઈ
કેન્દ્ર સરકારનો સહયોગ મળી રહ્યો છે- કનુ દેસાઈ
નાણાંમંત્રી કનુ દેસાઈએ ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપી
સમગ્ર દેશમાં અત્યારે વીજ સંકટની સમસ્યા ઊભી થઈ છે.ત્યારે ગુજરાતમાં વીજ સંકટને લઈને વાપીમાં રાજ્યના નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ નિવેદન આપતા કહ્યું કે કેન્દ્ર સરકારના સહયોગથી ગુજરાતમાં હજુ સુધી વીજ સંકટથી બાકાત રહી શક્યુ છે.આગામી સમયમાં પણ રાજ્યમાં વીજ સંકટ ઊભું ન થાય તે માટે કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકાર પૂરેપૂરા પ્રયાસો કરી રહી છે. મહત્વપૂર્ણ છે કે ભાજપના લઘુમતી મોરચાના પ્રદેશ કારોબારીના સભ્ય અને વાપીમાં મુસ્લિમ સમાજના અગ્રણી તરફથી યોજાયેલી આ ઇફ્તાર પાર્ટીમાં વાપીના મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી અને આ ઇફ્તાર પાર્ટીમાં રોજા છોડ્યા હતા.
ઈફ્તાર પાર્ટીમાં આપી હાજરી
મહત્વપૂર્ણ છે કે ભાજપના લઘુમતી મોરચાના પ્રદેશ કારોબારીના સભ્ય અને વાપીમાં મુસ્લિમ સમાજના અગ્રણી એવા મોહમ્મદ ઈશા ઉર્ફે બબલુ ભાઈ દ્વારા યોજાયેલી ઇફ્તાર પાર્ટીમાં વાપીના મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી અને આ ઇફ્તાર પાર્ટીમાં રોજા છોડ્યા હતા.
'કેન્દ્ર સરકારના સહયોગથી કોલસાની પૂરતી સપ્લાય'
આ પ્રસંગે રાજ્યના નાણા અને ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં અત્યારે વીજ સંકટ ની સમસ્યા ઉદ્ભભવી રહી છે.પરંતુ ગુજરાત વીજ સંકટ થી બાકાત રહી શક્યું છે. કારણ કે ગુજરાતમાં કેન્દ્ર સરકારના સહયોગથી કોલસાની પૂરતી સપ્લાય મળી રહી છે. સાથે જ દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં સોલાર અને વિન્ડ એનર્જી પણ નોંધપાત્ર પ્રમાણમાં મળી રહી છે. આથી ગુજરાત વીજ સંકટથી બાકાત રહી શક્યું છે. અને આવનાર સમયમાં પણ ગુજરાતમાં વીજ સંકટ ન સર્જાય તે માટે કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકાર પૂરેપૂરા પ્રયાસ કરી રહી છે તેવી પણ ઉર્જામંત્રીએ ચોખવટ પાડી હતી.