વર્લ્ડ બેન્કના એક અહેવાલ મુજબ ભારતમાં 2011 ની સાપેક્ષામાં 2019 માં ગરીબી ના આંકડામાં 12 ટકા જેટલો માતબર ઘટાડો નોંધાયો હતો.
ભારતમાં ગરીબીમાં થયો ઘટાડો
શહેરોની સાપેક્ષમાં ગામડાંની ગરીબી ઘટી
2011 ની સાપેક્ષમાં 2019 માં 12.3% ઘટી ગરીબી
ભારતમાં ગરીબી 2011 ની સાપેક્ષમાં 2019 માં 12.3% ઘટી હતી, ગરીબીના આંકડા 2011 માં 22.5 % થી ઘટીને 2019 માં 10.2 % થઈ ગયા હતા.
ગરીબીમાં ગ્રામીણ ક્ષેત્રોમાં તુલનાત્મક રૂપે ઝડપી ઘટાડો થયો છે. વર્લ્ડ બેન્ક પોલિસી રિસર્ચ ના વર્કિંગ પેપરમાં આ જાણકારી આપવામાં આવી હતી.
ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ તરફથી પ્રકાશિત વર્કિંગ પેપરમાં પણ કહેવામાં આવ્યું હતું કે ભારતે સૌથી વધુ કંગાળ ગરીબીને લગભગ સમાપ્ત કરી દીધી છે. સાથે રાજ્યો તરફથી આપવામાં આવતા ફૂડ હેન્ડઆઉટ્સના મધ્યમથી 40 વર્ષમાં આર્થિક અસમાનતા સૌથી ઓછા સ્તરે છે.
ગ્રામીણ ક્ષેત્રોમાં ગરીબીમાં ઘટાડો
શહેરી વિસ્તારો કરતાં ભારતની ગ્રામીણ ક્ષેત્રોની ગરીબીમાં ખાસ્સો ઘટાડો નોંધાયો છે. ગ્રામીણ ગરીબી 2011 માં 26.3% હતી જે ઘટીને 2019 માં 14.7 % થઈ ગઈ છે. તો સામે શહેરી વિસ્તારોમાં આ ઘટાડો આટલા જ સમયમાં 14.2 % થી ઘટીને 6.3 % થયો હતો.
છેલ્લા એક દશકમા ઘટી ગરીબી
વર્લ્ડ બેન્કના વર્કિંગ પેપરમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ગ્રામીણ અને શહેરી ગરીબીમાં 2011-2019 દરમિયાન 14.7 અને 7.9 ટકા નો ઘટાડો નોંધાયો છે. ભારતમાં ગરીબી છેલ્લા એક દશકમાં ઓછી થઈ છે પરંતુ જેટલી ધરવામાં આવી હતી એટલી નહીં.
આ પેપર સંયુક્ત રૂપે અર્થશાસ્ત્રી સુતીર્થ સિંહા રૉય અને રૉય વેણ ડેર વેઈડ દ્વારા લખવામાં આવ્યું હતું. વર્લ્ડ બેન્ક સ્ટ્રેટેજી પ્લાનિંગ ના પત્રોનો ઉદ્દેશ્ય વિકાસ પર વિચારવાનો અને આદાન પ્રદાનને પ્રોત્સાહિત કરવાનો હોય છે અને રિસર્ચ કરીને પરિણામોને ઝડપથી પ્રકાશિત કરવાનો હોય છે.
ખેડૂતોને પણ થયો લાભ
આ અભ્યાસ અનુસાર નાનાં ખેડૂતોને પણ મોટી આવક થવાનો અનુભવ થયો છે અને અમુક ખેડૂતોને વાર્ષિક 10 ટકાના દરે વૃદ્ધિનો લાભ પણ થયો છે.