જમ્મૂ-કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય થઇ રહી છે જેને લઇને તંત્ર દ્વારા પોસ્ટપેડ મોબાઇલ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં આજે મોબાઇલ સેવાનો પ્રારંભ થયો છે. ઓગસ્ટથી લગાવામાં આવેલ મોબાઇલ સેવા પરનો પ્રતિબંધ હટાવી સેવા પુનઃ શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા કલમ 370 હટાવ્યાં બાદ અંદાજે 70 દિવસથી સેવા બંધ હોવાથી જનજીવન પર તેની અસર જોવા મળતી હતી.
ઓગસ્ટથી ચાલુ કરાઇ મોબાઇલ સેવા પરનો પ્રતિબંધ દૂર કરાયો હતો
લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઇને પ્રતિબંધનો લેવાયો હતો નિર્ણય
અંદાજે 40 લાખ લોકોને મળશે આ નિર્ણયનો લાભ
જમ્મૂ-કાશ્મીરમાં અંદાજે 70 દિવસ બાદ આજથી મોબાઇલ ફોનની રીંગ વાગવાની શરૂ થઇ ગઇ છે. જેમાં અંદાજે 40 લાખ જેટલા મોબાઇલ ફોન એક્ટિવ થઇ ગયા છે. આ બધા ફોન પોસ્ટપેડ સેવાવાળા છે. રાજ્ય સરકાર દ્વારા બે દિવસ પહેલાં જ પોસ્ટપેડ સેવા પરનો પ્રતિબંધ દૂર કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
મુખ્ય સચિવે મોબાઇલ સેવા શરૂ કરવાની કરી હતી જાહેરાત
ઓગસ્ટ મહિનાથી મોબાઇલ સેવા પર લગાવામાં આવેલો પ્રતિબંધ સોમવારથી હટાવી દેવા અંગેની જાહેરાત મુખ્ય સચિવ રોહિત કંસલે કરી હતી. મુખ્ય સચિવે કહ્યું હતું કે લશ્કર-એ-તૈયબા જેવા પ્રતિબંધિત સંગઠન ઘાટીમાં આતંક ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જેને લઇને ઘાટીમાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી પ્રતિબંધ લગવામાં આવ્યો હતો.
મોબાઇલ સેવા પુનઃ સ્થાપિત કરવાથી શું શું થશે ફાયદા
જમ્મૂ-કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય થયા બાદ અહી બાકી રહેલા ક્ષેત્રોમાં મોબાઇલ ફોન સેવા ફરી શરૂ કરાવનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં બધા પોસ્ટપેડ મોબાઇલ ફોનની સેવા આગામી 14 ઓક્ટોબર સોમવારે બપોરે 12 કલાકથી શરૂ કરવામાં આવશે.
આ આદેશ કાશ્મીર પ્રાંતના 10 જિલ્લામાં લાગુ થશે. આ પગલાતી પર્યટકોને મુસાફરી દરમિયાન ફોનની કનેક્ટિવિટી મળશે. વિદ્યાર્થીઓ સ્કૂલ ગયા બાદ માતા-પિતાના સંપર્કમાં રહી શકશે. જ્યારે વેપારીઓ ગ્રાહકો સાથે સંપર્ક કરી શકશે. સરકારે વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ટ્રાન્સફોર્ટરો, દુકાનદારો, હોટલ વેપારીઓને આતંકવાદીઓ અને અલગાવવાદિના ભયથી નહી ડરવા તેમજ પોતાનુ કામકાજ સામાન્ય રીતે ચાલુ કરવાનો આગ્રહ કર્યો છે.