ભારતીય પોસ્ટ દેશભરમાં પોસ્ટઓફિસોનું સંચાલન કરે છે તેની સાથે સાથે ઘણી બેન્કિંગ સેવાઓ પણ આપે છે. ભારતીય પોસ્ટની વેબસાઈટ indiapost.gov.in. પર વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવે છે અને આવી જ એક યોજનાનું નામ છે રીકરીંગ ડીપોઝીટ એટલે કે આરડી. પોસ્ટ વિભાગની વેબસાઈટ અનુસાર આ રીકરીંગ ડીપોઝીટ પર 7.2 ટકા વ્યાજ આપવામાં આવે છે.
18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ પણ ખોલાવી શકે છે
ન્યુનતમ દસ રૂપિયાથી ખુલશે ખાતું
એક વર્ષ બાદ ગમે ત્યારે 50 ટકા રકમ કાઢી
ઈન્ડીયન પોસ્ટ આખા દેશમાં લગભગ દોઢ લાખ જેટલી પોસ્ટઓફિસોનું સંચાલન કરે છે
દેશભરમાં પોસ્ટ ઓફીસનું સંચાલન કરતું ભારતીય પોસ્ટ ઘણી બેન્કિંગ સુવિધાઓ પણ આપે છે. ઘણા લોકો પોસ્ટઓફીસની આ બેન્કિંગ સુવિધાઓનો લાભ ઉઠાવે છે. આપને જણાવી દઈએ કે ઈન્ડીયન પોસ્ટ આખા દેશમાં લગભગ દોઢ લાખ જેટલી પોસ્ટઓફિસોનું સંચાલન કરે છે. પોસ્ટ વિભાગ તરફથી ઘણી સ્કીમ, યોજનાઓ અને ઓફર વિષે માહિતીઓ આપતું રહે છે. પોસ્ટ ઓફીસની બચત યોજનાઓના વ્યાજદર સરકાર દ્વારા નાની-નાની યોજનાઓ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે જ હોય છે . પોસ્ટ વિભાગની આવી જ એક યોજનાનું નામ છે રીકરીંગ ડીપોઝીટ એટલે કે આરડી. પોસ્ટ વિભાગની વેબસાઈટ અનુસાર આ રીકરીંગ ડીપોઝીટ પર 7.2 ટકા વ્યાજ આપવામાં આવે છે.
કોણ ખોલાવી શકે ખાતું :
આ એકાઉન્ટની ખાસ વાત એ છે કે આ ખાતું 18 વર્ષથી ઓછી ઉમરના લોકોના નામે પણ ખોલાવી શકાય છે. ખાતું રોકડ અથવા ચેક ગમે તે રીતે ખોલી શકાય છે.
કેટલી મુદત માટે ખુલે ખાતું :
પોસ્ટ ઓફીસ રીકરીંગ ખાતું ઓછામાં ઓછા 10 રૂપિયાથી શરૂ કરી પાંચ ગણા સુધી કોઈ પણ સંખ્યા સુધી રોકાણ કરી શકાય છે. અધિકતમ રોકાણની કોઈ સીમા જ નથી. વેબસાઈટ મુજબ આરડી ખાતાની મુદત પાંચ વર્ષની હોય છે જે બાદ દરવર્ષે જરૂર જણાય તો તેને ચાલુ રાખી શકાય છે.
શું પાંચ વર્ષ પહેલાં રકમ ઉપાડી શકાય ?
જો પરિપક્વતા પહેલાં જ એટલે કે પાંચ વર્ષ થાય તે પહેલાં જ તમે તમારું રોકાણ પાછું લેવા માંગો છો તો તમે ખાતું ખોલાવ્યાનાં એક વર્ષ બાદ ગમે ત્યારે 50 ટકા રકમ કાઢી શકો છો. જોકે તમારે આ રકમ એક નિશ્ચિત વ્યાજ સાથે પાછી જમા કરાવી દેવી પડશે. આ વેબસાઈટમાં આપવામાં આવેલી માહિતી મુજબ જો હપ્તો ભરવામાં વ્યક્તિ નિષ્ફળ જાય તો દર પાંચ રૂપિયા પર પાંચ પૈસાનું ડિફોલ્ટ ફી ભરવી પડે છે.