હરિભક્તોએ મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરીને DSPને રજૂઆત કરી હતી
સમગ્ર મામલે SSG હોસ્પિટલમાં કરવામાં આવ્યુ પોસ્ટમોટર્મ
સોખડા સ્વામિનારાય મંદિરમાં ગુણાતીત સ્વામીનું નિધન થયું છે. જેને લઈને હરિભક્તોમાં ભારે આઘાત લાગ્યો છે. અચાનક જ ગુણાતીત સ્વામીના મૃત્યુબાદ હરિભક્તોમાં મૃત્યુ ક્યા કારણોસર થયું તે અંગેની અનેક તર્ક-વિતર્ક ચાલી રહી છે. જોકે, સૂત્રના જણાવ્યા અનુસાર ગુણાતીત સ્વામીને ગત મોડી રાત્રે હાર્ટ એટેક આવવાથી મોત નીપજ્યું છે.
તબીબોની પેનલે પોસ્ટમોટર્મ કરીને રિપોર્ટ તૈયાર કર્યો
સોખડા મંદિરના ગુણાતિત સ્વામીના મોતને મામલે કરાયેલી રજૂઆત બાદ પોલીસે અંતિમ ક્રિયા અટકાવી હતી. જે બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે મોકલવામાં આવ્યો હતો.હરિભક્તોએ મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરીને DSPને રજૂઆત કરી હતી જે બાદ પોલીસ તાત્કાલિકના ધોરણે અંતિમ ક્રિયાના સ્થળે પહોંચી ગઈ હતી. સમગ્ર મામલે SSG હોસ્પિટલમાં સંત ગુણાતીત સ્વામીના પાર્થિવ દેહનું પોસ્ટમોટર્મ કરવામા આવ્યું હતું. સિનિયર તબીબોની પેનલે પોસ્ટમોટર્મનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. તપાસનો રિપોર્ટ સુરતમાં મોકલવામાં આવશે જે બાદ વધુ માહિતી બહાર આવી શકે છે. જે બાદ સંત ગુણાતીત સ્વામીનો પાર્થિવ દેહને સોખડા ખાતે લાવવાની તજવીજ હાથ ધરાઇ હતી.
હરિભક્તોએ મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરી
ત્યારે ગુણાતીત સ્વામીનું હાલ કયા કારણોસર નીપજ્યું મોત તે તપાસનો વિષય બન્યો છે. બીજી તરફ ગુણાતીત સ્વાની નિધન બાદ કેટલાક હરિભક્તો કલેક્ટર કચેરીએ પહોંચીગયા હતા અને સ્વામીના મૃત્યુ મામલે તપાસની માંગ કરી હતી. ભક્તોનો આક્ષેપ ગુણાતીત સ્વામી મામલે તપાસ થાય તો વધુ વિગતો બહાર આવી શકે. બીજી તરફ ગુણાતીત સ્વામીના નિધન બાદ વડતાલ સ્વામિનારાયણ મંદિરના નૌતમ સ્વામી હરિધામ સોખડા આવ્યા હતા. સમગ્ર મામલે DSPને રજૂઆત કરવામા આવી હતી.
સોખડા વિવાદનો સુખદ અંત ક્યારે?
સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદ મામલે ગુજરાત હાઈકોર્ટે બંન્ને પક્ષે સાથે મળી સમાધાન લાવવા માટે ભાર મૂક્યો છે. કોર્ટે સુનાવણી દરમિયાન બન્ને પક્ષે ટકોર કરતા કેટલીક મહત્વની વાતો પણ કહી. કોર્ટે કહ્યું કે, ' બન્નેમાં એક જ ગુરુના શિષ્યો છે, ગુરુના સ્વર્ગવાસ પછી શું એમના મૂલ્યો જતા રહે? એ તો રહેવાના જ છે. જેથી આ બાબતે નિરાકરણ લાવવામાં આવે. મોટી વાત એ છે કે કોર્ટે એ પણ કહ્યું કે, 'કોર્ટને ખબર છે કે કોને શું ખૂંચે છે, પણ આટલું સારું કામ કરનાર સંપ્રદાયમાં સાધુઓના વિખવાદ યોગ્ય નથી.જો કે આ અંગે વિવાદ નો અંત લાવવા કોર્ટે બન્ને પક્ષોને સૂચન કર્યું છે બન્ને પક્ષના વકીલો સાથે બેસીને ચર્ચા કરે અને બાદ કોર્ટમાં શુક્રવારે કોર્ટમાં પોતાનો મત મુકવા hc એ નિર્દેશ કર્યો છે