પંજાબના જાલંધરમાં નવજોતસિંહ સિદ્ધૂ અને પાકિસ્તાન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાના પોસ્ટર લાગ્યા છે. પુલવામા હુમલામાં થયેલા આતંકી હુમલા બાદ પંજાબના કેબિનેટ મંત્રી નવજોતસિંહ સિદ્ધૂ વિરૂદ્ધ પોસ્ટર લાગ્યા છે.
જાલંધરમાં જનરલ કમર બાજવાને ગળે મળી રહેલા નવજોતસિંહ સિદ્ધૂના પોસ્ટર લાગ્યા છે. એટલું જ નહીં પોસ્ટરમાં નવજોતસિંહ સિદ્ધૂને દેશના ગદ્દાર બતાવવામાં આવ્યા છે.
પોસ્ટરમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જનરલ બાજવા યાર... સિદ્ધૂ દેશ કા ગદ્દાર.... પાકિસ્તાન આર્મી ચીફને ગળે લગાવતા આ પોસ્ટર જાલંધરના રસ્તા પર જોવા મળી રહ્યા છે.
આ પોસ્ટરમાં નવજોતસિંહ સિદ્ધૂને પાકિસ્તાનના હિતેચ્છુ અને દેશના ગદ્દાર બતાવવામાં આવ્યા છે. જોકે, પોસ્ટરો કોણે લગાવ્યા છે તે હજુ સુધી સામે આવ્યુ નથી પણ પોસ્ટરથી એ ચોક્કસ સ્પષ્ટ થાય છે કે દેશના લોકોમાં હજુ પણ આક્રોશ યથાવત્ છે.