નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના લખનૌમાં લોકસભાની પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી ગઠબંધન કરીને ચૂંટણીમાં જીત મેળવી છે. આ ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ લખનઉમાં સપાની ઓફિસ બહાર માયાવતી અને અખિલેશના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં ફૂલપુર અને ગોરખપુરની પેટા ચૂંટણીમાં મળેલી જીતની શુભેચ્છા પાઠવવામાં આવી છે.
કેવું છે આ પોસ્ટર?
આ નવા પોસ્ટરમાં મુલાયમ સિંહ યાદવ અને આજમ ખાનનો ફોટો ઉપર લગાવવામાં આવ્યો છે. અને એક તરફ સમાજવાદી પાર્ટીના તારીક અહેમદ લાગીની તસ્વીરની સાથે વચ્ચે ચૂંટણી ચિન્હ લગાવવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ અખિલેશ યાદવ અને માયાવતીની તસ્વીર લગાવવામાં આવી છે. આ પોસ્ટરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
2019નો પડઘા?
આ પોસ્ટરને 2019 સુધીના ગઠબંધનથી જોડવામાં આવી રહ્યું છે. જો કે માયાવતીએ આ પહેલા સ્પષ્ટ કરી દીધું હતું કે તેમનું સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન એક કરાર હેઠળ છે જે પેટાચૂંટણી સુધી છે ત્યારબાદ નથી. પરંતુ જે રીતે પોસ્ટરમાં માયાવતીનું સ્થાન આપવામાં આવ્યું છે જેને લઇ અંદાજ લગાવાય રહ્યો છે કે આ ગઠબંધન 2019માં પણ ભાજપને પછાડવા માટે તરબતર રહી શકે છે.
સોશિયલ મીડિયા પર આ પોસ્ટર વાયરલ પણ થયો છે. ત્યારે પોતે માયાવતી અથવા તેમની પાર્ટી તરફથી પોસ્ટરને લઇ કોઇ અધિકારીક પ્રતિક્રિયા નથી આવી ત્યારબાદથી 2019ની રસાકસી વધુ તેજ થઇ ગઇ છે.