જમ્મૂ કાશ્મીરથી સતત કેદીઓને અન્ય જેલમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. હવે જમ્મૂ-કાશ્મીરથી 24 કેદીઓને શનિવારે લખનઉ જેલમાં શિફ્ટ કરાયા હતા.
જમ્મૂ કાશ્મીરથી સતત કેદીઓને અન્ય જેલમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. જેના સંદર્ભે જમ્મૂ કાશ્મીરથી 24 કેદીઓને શનિવારે સવારે લખનઉની જેલમાં લઈ જવાયા હતા. જો કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેદીઓની ઓળખ સાર્વજનિક રાખવામાં આવી નથી. આ પહેલાં પણ ગુરુવારે 70 અને શુક્રવારે 20 કેદીઓને જમ્મૂ કાશ્મીરથી આગ્રાની જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. મળતી માહિતિના આધારે જમ્મૂ કાશ્મીરથી લખનઉ જેલમાં શિફ્ટ કરાયેલા 24 કેદીઓનું જેલના અધિકારીઓએ ચેકિંગ કર્યું હતું અને ત્યારબાદ તેમનું હેલ્થ ચેકઅપ પણ કરાયું હતું. સાથે કાયદાકીય કાર્યવાહી બાદ તેમને ઉચ્ચ સુરક્ષા બેરેકમાં બંધ કરી દેવામાં આવ્યા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને જેલ અધિકારીઓએ આ કેદીઓની ઓળખ સાર્વજનિક રાખી નથી.
આ પહેલાં પણ ગુરુવારે 70 આતંકીઓ અને કટ્ટર અલગાવવાદીઓને કાશ્મીર ઘાટીની અનેક જેલમાંથી કાઢીને યૂપીની આગ્રા જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આતંકીઓ અને અલગાવવાદીઓને ભારતીય વાયુસેનાના વિશેષ વિમાનમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. તો શુક્રવારે જમ્મૂ કાશ્મીર સરકારે 20 અલગાવવાદીઓને ઘાટીથી ઉત્તરપ્રદેશની આગ્રા સેન્ટ્રલ જેલમાં મોકલ્યા હતા. શુક્રવારે એરફોર્સના વિશેષ વિમાનથી 20 વધુ અલગાવવાદીઓને એરલિફ્ટ કરીને કાશ્મીરથી આગ્રા લાવવામાં આવ્યા હતા.