પોસ્ટ ઓફિસની આ સ્કીમ માં રોકાણ કરવા પર બેંક FD કરતા વધુ સારું વળતર જ નહીં પરંતુ ટેક્સમાં પણ છૂટ મળે છે.
પોસ્ટ ઓફિસની એક શાનદાર સ્કીમ
નિશ્ચિત નફો અને ઓછું જોખમ
FD કરતા મળે છે વધુ વ્યાજ
સ્મોલ સેવિંગ સ્કીમ દેશમાં રોકાણ કરવા માટે ખૂબ જ લોકપ્રિય વિકલ્પ છે. તેમાં રોકાણ કરવા પર કોઈપણ પ્રકારનું જોખમ નથી રહેતું. આજકાલ લોકો જોખમ ઉઠાવ્યા વિના રોકાણ કરવાની સ્કીમ શોધી રહ્યા છે. પોસ્ટ ઓફિસની આવી જ એક સ્કીમ છે જેનું નામ છે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) સ્કીમ. યોજનાઓ માત્ર રોકાણ પર વધુ સારું વળતર જ નહીં પરંતુ ટેક્સમાં પણ છૂટ મળે છે.
નિશ્ચિત નફો અને ઓછું જોખમ
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ એ ટેક્સ સેવિંગ રોકાણ છે જે દેશની કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી ખરીદી શકાય છે. આ સ્કીમ ભારત સરકાર દ્વારા સમર્થિત છે, તેથી તેમાં નિશ્ચિત નફો અને ઓછું જોખમ રહે છે. એટલા માટે જે રોકાણકારો રોકાણમાં જોખમ લેવા નથી માંગતા એ લોકો માટે આ બેસ્ટ સ્કીમ છે. મોટાભાગના લોકો નાની બચત માટે બેંક એફડી કરાવવાનું પસંદ કરે છે. જો કે આ સ્મોલ સ્કીમ બેંક FD કરતા મારા પૈસાને વધુ ઝડપથી ડબલ કરી શકે છે.
5 વર્ષ છે મૈચ્યોરિટી પિરિયડ
આ સ્કીમમાં તમારે ઓછામાં ઓછા 1,000 રૂપિયાનું રોકાણ કરવું જરૂરી છે. તમે તમારી ક્ષમતા મુજબ કોઈપણ રકમ માટે NSC ખરીદી શકો છો. NSC નો મૈચ્યોરિટી પિરિયડ 5 વર્ષ છે. હાલમાં તેમાં 6.8 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે, જે બેન્કની FD કરતાં વધુ છે. આ સ્કીમમાં મહત્તમ રોકાણની કોઈ લિમિટ નથી. સાથે જ આ સ્કીમમાં રોકાણ કરવા પર આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ પણ ટેક્સમાં છૂટ પણ મળે છે. પણ આ છૂટ માત્ર 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર જ મળે છે.
3 પ્રકારના સર્ટિફિકેટ મળે છે
જણાવી દઈએ કે NSC રાખવાના મુખ્યત્વે ત્રણ રસ્તા છે. પહેલો સિંગલ હોલ્ડર ટાઈપ સર્ટિફિકેટ. તેમાં વ્યક્તિ પોતાના માટે અથવા તેના બાળક માટે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ ખરીદી શકે છે. બીજું જોઇન્ટ 'A' ટાઈપ સર્ટિફિકેટ છે. આમાં બે રોકાણકારો મળીને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ ખરીદે છે અને મૈચ્યોરિટી પિરિયડ પછી એ રકમ બંનેને વચ્ચે સરખી રીતે વહેંચી દેવામાં આવે છે. ત્રીજું જોઇન્ટ 'બી' ટાઈપ સર્ટિફિકેટ છે. આ પણ એકસાથે બે લોકો દ્વારા ખરીદવામાં આવે છે પરંતુ મૈચ્યોરિટી પિરિયડ પર રકમ માત્ર એકને જ આપવામાં આવે છે.
NSCમાં રોકાણ કરવા માટે યોગ્યતા
કોઈપણ ભારતીય NSCમાં રોકાણ કરી શકે છે. કોઈ પણ વ્યક્તિ પોતાના માટે અથવા 10 વર્ષથી વધુ ઉંમરના બાળક માટે NSCમાં રોકાણ કરી શકે છે. કોઈપણ NRI NSC ખરીદી શકતું નથી. પણ જે લોકો NRI બનતા પહેલા NSC ખરીદી હોય તો તેને તેના મૈચ્યોરિટી પિરિયડ સુધી રાખી શકે છે.