જો તમે પણ પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં રોકાણ કરો છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. મહત્વનું છે કે, Post Office એ પોતાના લાખો ગ્રાહકોની સુવિધા માટે નવી ઈન્ટરએક્ટિવ વોઈસ રિસ્પોન્સ સર્વિસ શરૂ કરી છે. ગ્રાહક આ સુવિધાનો લાભ પોતાના ફોનથી લઇ શકે છે.
પોસ્ટ ઓફિસે લાખો ગ્રાહકો માટે શરૂ કરી નવી સર્વિસ
આ સર્વિસથી ગામડાના માણસોને થશે મદદ
સર્વિસનો લાભ ઉઠાવવા માટે ટોલ ફ્રી નંબર જાહેર કરાયો
ગ્રામ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા લાખો લોકોને મદદ મળશે
આ સર્વિસ દ્વારા ગ્રાહક ઈન્વેસ્ટમેન્ટ પર મળતુ વ્યાજ, ATM કાર્ડ બ્લોક, નવુ કાર્ડ જાહેર કરવુ અને PPF, NSC વગેરેની માહિતી માટે ઉપયોગ કરી શકે છે. આ સર્વિસથી દેશના ગ્રામ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા લાખો લોકોને મદદ મળશે. તેમને પોતાના મોબાઈલ નંબર દ્વારા જરૂરી માહિતી સરળતાથી મળી જશે.
જાહેર કરાયો ટોલ ફ્રી નંબર
પોસ્ટ વિભાગે આ સર્વિસનો લાભ ઉઠાવવા માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યો છે. હવે અહીંથી PPF, NSC, સુકન્યા સમૃદ્ધી અને અન્ય સ્કીમ અંગે આઈવીઆરથી વિસ્તૃત જાણકારી લઇ શકો છો. જેના માટે ગ્રાહકોને પોતાના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી પોસ્ટ વિભાગના ટોલ ફ્રી નંબર 18002666868 પર ફોન કરવો પડશે.
બચત ખાતાધારક પણ કરી શકે છે ઉપયોગ
જે ગ્રાહકોના પોસ્ટ ઓફિસ વિભાગમાં બચત ખાતુ છે, તે પણ IVR સર્વિસનો લાભ ઉઠાવી શકે છે. જેમાં ગ્રાહકોને દરેક વિકલ્પ મળશે. ગ્રાહકોને હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં માહિતી મળશે. અહીંથી ગ્રાહકોને ખાતાના બેલેન્સની માહિતી મળી જશે. જેના માટે ગ્રાહકોએ પાંચ નંબર દબાવવો પડશે. કાર્ડ બ્લોક કરવા માટે 6 દબાવવો પડશે. ત્યારબાદ કાર્ડ નંબર નાખવો પડશે. ત્યારબાદ એકાઉન્ટ નંબર આપવો પડશે.
શું હોય છે IVR સર્વિસ ?
ઈન્ટરએક્ટિવ વોઈસ રિસ્પોન્સ એક ટેલિફોન સિસ્ટમ છે. જેમાં વોઈસ કમાન્ડ હોય છે. જેના માધ્યમથી ગ્રાહક વાતચીત કરે છે. બેંકો અને અન્ય ઘણા કસ્ટમર કેર પર તેનો ઉપયોગ થાય છે. જેમા ગ્રાહકોના સવાલનો જવાબ ફોન પર જ મળે છે અને બ્રાન્ચ જવાની જરૂર પડતી નથી.