પોસ્ટ વિભાગે ઓનલાઈન વેચાણ માટે દેશભરમાં કોઈપણ સરનામે રાષ્ટ્રધ્વજની ફ્રી ડિલિવરી કરવાની સુવિધા પૂરી પાડી રહ્યું છે.
1.5 લાખ પોસ્ટ ઓફિસ 'હર ઘર તિરંગા' કાર્યક્રમનો અમલ કરી રહ્યું છે
10 દિવસના ટૂંકા સમયગાળામાં જ પોસ્ટ ઓફિસે 1 કરોડથી વધુ રાષ્ટ્રધ્વજનું વેચાણ કર્યું
પોસ્ટ વિભાગ તેના 1.5 લાખ પોસ્ટ ઓફિસના સર્વવ્યાપી નેટવર્ક સાથે દેશના દરેક નાગરિક માટે 'હર ઘર તિરંગા' કાર્યક્રમનો અમલ કરી રહ્યું છે. પોસ્ટ વિભાગ 10 દિવસના ટૂંકા સમયગાળામાં જ પોસ્ટ ઓફિસની સાથે સાથે ઓનલાઈન માધ્યમ દ્વારા નાગરિકોને 1 કરોડથી વધુ રાષ્ટ્રધ્વજનું વેચાણ કર્યું છે. પોસ્ટ વિભાગે 25 રૂપિયા જેટલી ખૂબ જ ઓછી કિંમતે રાષ્ટ્રધ્વજનું વેચાણ કરી રહ્યું છે. આ સાથે જ પોસ્ટ વિભાગે ઓનલાઈન વેચાણ માટે દેશભરમાં કોઈપણ સરનામે રાષ્ટ્રધ્વજની ફ્રી ડિલિવરી કરવાની સુવિધા પૂરી પાડી રહ્યું છે. અત્યાર સુધીમાં નાગરિકોએ ઈ-પોસ્ટ ઓફિસ સુવિધા દ્વારા 1.75 લાખથી વધુ રાષ્ટ્રધ્વજની ઓનલાઈન ખરીદી કરી છે.
Department of Posts with its omnipresent network of 1.5 lakh Post Offices take the 'Har Ghar Tiranga' Campaign to every Indian citizen as it sells more than 1 crore National Flags in a short span of 10 days
આખા દેશના 4.2 લાખ પોસ્ટ કર્મચારીઓએ શહેરો અમે ગામમાં દરેક જગ્યા પર 'હર ઘર તીરંગા' સંદેશનો ઉત્સાહપૂર્વક પ્રચાર કરી રહ્યા છે. પોસ્ટ વિભાગે પ્રભાતફેરી જેવી કે બાઇક રેલી અને ચૌપાલ સભાઓ દરેક લોકો સુધી "હર ઘર ત્રિરંગા" નો સંદેશો પહોંચાડ્યો છે. આ સિવાય ડીજીટલ રૂપે જોડાયેલ નાગરિકો વચ્ચે પણ આ કાર્યક્રમનાં સંદેશણો પ્રચાર કરવા માટે ટ્વિટર અને ફેસબુક જેવા સોશ્યલ મીડિયા મંચનો પણ ઘણો સારી રીતે ઉપયોગ કર્યો છે.
પોસ્ટ વિભાગ દ્વારા રાષ્ટ્રીય ધ્વજનું વેચાણ 15 ઓગસ્ટ 2022 સુધી ખૂલું છે. દરેક નાગરિકો તેના નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને અથવા ઇ- પોસ્ટ (epostoffice.gov.in) દ્વારા પણ રાષ્ટ્રીય ધ્વજને ખરીદી શકે છે અને 'હર ઘર તીરંગા' અભિયાનનો ભાગ બની શકે છે.' આ સાથે જ કોઈ પણ નાગરિક રાષ્ટ્રધ્વજ સાથે સેલ્ફી પણ લઈ શકે છે અને એ સેલ્ફીને www.harghartirang.com પર અપલોડ કરી શકે છે. આ રીતે દરેક નાગરિક નવા ભારતના સૌથી મોટા પર્વનો ભાગ બની શકે છે.
આ અભિયાન અંગે કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલયના સેક્રેટરી ગોવિંદ મોહને જણાવ્યું કે આ અભિયાન પોતાના તિરંગાની આન, બાન અને શાનને સમર્પિત થશે. આ દરેક દેશવાસીને દેશ નિર્માણમાં તેના યોગદાન પ્રત્યે પ્રતિબદ્ધતા અને જુસ્સાને બતાવવાની એક તક હશે. સરકારનુ માનવુ છે કે તિરંગાની સાથે નાગરિકોનો સંબંધ અંગત હોવાના બદલે હંમેશા ઔપચારિક અને સંસ્થાગત રહ્યો છે, પરંતુ 75 વર્ષ પૂર્ણ થવાના વિશેષ અવસરે પોતાના ઘરમાં લગાવીને તિરંગા સાથેનો ખાનગી લગાવ મહેસૂસ કરી શકશો.