દેશમાં આજે પણ મધ્યમ વર્ગનો એક મોટો ભાગ પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવું સૌથી વધારે પસંદ કરે છે. તેનું સૌથી મોટુ કારણ છે સુરક્ષિત રોકાણ અને સારૂ રિટર્ન. જો તમે પણ આવતા અમુક દિવસોમાં રોકાણની પ્લાનિંગ કરી રહ્યા છો તો પોસ્ટ ઓફિસની એક સારી સ્કીમમાં રોકાણ કરી શકો છો.
આ રીતે પોસ્ટમાં કરો રોકાણ
મળશે બેસ્ટ રિટર્ન
જાણો કોણ કોણ ઉઠાવી શકે લાભ
આ સ્કીમનું નામ છે પોસ્ટ ઓફિસની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ. આ સ્કીમની ખાસ વાત એ છે કે તમે ઓછામાં ઓછી રકમમાં આ સ્કીમમાં રોકાણ કરી શકો છો. આ સ્કીમ હેઠળ તમે જો 5 વર્ષ માટે રોકાણ કરો છો તો તમને 6.7 ટકા રેટ ઓફ ઈન્ટરેસ્ટ મળે છે. ત્યાં જ 3 વર્ષની સ્કીમમાં રોકાણ પર તમને 5.5 ટકા અને 1 વર્ષના રોકાણ પર પણ 5.5 ટકા રેટ ઓફ ઈન્ટરેસ્ટ મળે છે.
10 વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિ ઉઠાવી શકે લાભ
પોસ્ટ ઓફિસની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમનો લાભ 10 વર્ષથી ઉપરના કોઈ પણ ઉઠાવી શકે છે. આ સ્કીમ હેઠળ સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં ત્રણ લોકો મળીને પણ જોઈન્ટ એકાઉન્ટ ખોલી શકે છે.
તેની સાથે જ 18 વર્ષથી ઉપર માનસિક રોગ પીડિત વ્યક્તિ પણ આ સ્કીમનો લાભ ઉઠાવી શકે છે. તેમના માતા-પિતા બાળકોના નામ પર આ એકાઉન્ટ ખોલવામાં આવી શકે છે. તેની સાથે જ તમે કોઈ પણ સંખ્યામાં એકાઉન્ટ ખોલી શકો છો.
જરૂરીયાતના હિસાબથી કરાવો FD
પોસ્ટ ઓફિસની ફિક્સ્ડ ડિપોઝિટથી તમારે ઘણા પ્રકારના લાભ મળી શકે છે. તે તમને નફાની ગેરેન્ટી તો આપે જ છે. સાથે જ સરકારી સ્કીમ હોવાના કારણે પૈસા ડૂબવાનો ખતરો ઓછો કરે છે. તેમાં તમને ત્રણ મહિનાના આધાર પર રેટ ઓફ ઈન્ટરેસ્ટ મળે છે. તમને જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસમાં FD કરાવવી ખૂબ જ સરળ કામ છે. પોસ્ટમાં તમે 1,2,3 અને 5 વર્ષ માટે તમારી જરૂરીયાતના હિસાબથી FD કરાવી શકો છો.
રોકાણ સંપૂર્ણ રીતે સુરક્ષિત
પોસ્ટ ઓફિસની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમનો સૌથી મોટો લાભ એ છે કે તેમાં રોકાણ કરવા માટે તમારા પૈસા બિલકુલ સુરક્ષિત રહેશે. તેની સાથે જ આ સ્કીમમાં રોકાણ કરવા પર તમને ઈનકમ ટેક્સની કલમ 80C હેઠળ IRTમાં પણ છૂટનો લાભ મળે છે.
આ સ્કીમ હેઠળ તમે 1,2,3 અને 5 વર્ષ માટે તમારી જરૂરીયાત અનુસાર રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં સીનિયર સિટીઝનને એક્સ્ટ્રા બેનિફિટ મળે છે. તેમને 7.4 ટકાની આજુબાજુ વ્યાજ મળે છે.
મેચ્યોરિટી પહેલા પણ બંધ કરી શકો છો સ્કીમ
આ સ્કીમને તમે મેચ્યોરિટી પહેલા પણ બંધ કરી શકો છો. એકાઉન્ટ ખોલવાના 6 મહિના સુધી તમે તેને બંધ નહીં કરી શકો. પરંતુ બાદમાં તમે એકાઉન્ટ સરળતાથી બંધ કરાવી શકો છો. એક વર્ષની અંદર એકાઉન્ટ બંધ કરાવવા પર કોઈ પણ પ્રકારનું વ્યાજ નથી મળતું. ત્યાં જ તેના બાદ પોસ્ટ ઓફિસ સેવિંગ્સ ફિક્સ્ડ ડિપોઝિટ કરવા પર કુલ વ્યાજના 2 ટકા ઓછું કેલ્કુલેટ કરવામાં આવશે.