જો તમે પણ નાનુ રોકાણ કરી નફો કમાવવા ઈચ્છો છો તો પોસ્ટ ઓફિસ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન પણ પોસ્ટ ઓફિસની સ્કીમમાં રોકાણ કરે છે.
જો તમે નાનું રોકાણ કરી મોટો નફો કમાવવા માંગો છો તો કરો અહીં રોકાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કર્યુ છે રોકાણ
સુરક્ષિત અને સરકારી સ્કીમમાં રોકાણ કરવાથી તમને મળશે આર્થિક સુરક્ષા
નેશનલ સેવિંગ્સ સર્ટીફિકેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાઈફ ઈન્શ્યોરન્સ અને નેશનલ સેવિંગ સર્ટીફિકેટમાં મોટું રોકાણ કર્યુ છે. આંકડા મુજબ, જૂન 2020માં વડાપ્રધાને NSCમાં 8 લાખ 43 હજાર 124 રૂપિયાનું રોકાણ કર્યુ છે. લાઈફ ઈન્શ્યોરન્સ માટે તેમણે 1 લાખ 50 હજાર 957 રૂપિયાનું પ્રીમિયમ જમા કરાવ્યું હતુ. આવો આ સ્કીમ વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીએ. જો તમે જીરો રિસ્ક પર રોકાણ કરવા માંગો છો તો તમારે પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવુ જોઈએ. સુરક્ષિત અને સરકારી સ્કીમમાં રોકાણ કરવા માંગો છો તો નેશનલ સેવિંગ્સ સર્ટીફિકેટમાં રોકાણ કરી શકો છો. આ સુરક્ષિત છે, કારણકે આ પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમનો ભાગ છે અને દેશના વડાપ્રધાને પણ તેમાં રોકાણ કર્યુ છે.
કેવીરીતે કરશો રોકાણ?
નેશનલ સેવિંગ્સ સર્ટીફિકેટમાં પાંચ વર્ષનો મિનિમમ લોક ઈન પીરિયડ હોય છે. એટલે કે રોકાણના પાંચ વર્ષ બાદ જ તમે તેમાંથી રૂપિયા ઉપાડી શકો છો. NSC માં ત્રણ રીતે રોકાણ કરી શકાય છે.
સિંગલ ટાઈપ- તમે પોતાના માટે અથવા કોઈ સગીર માટે રોકાણ કરી શકો છો.
જોઈન્ટ એ ટાઈપ- આ પ્રકારના સર્ટીફિકેટને કોઈ પણ બે વ્યક્તિ એકસાથે મળીને લઇ શકે છે એટલેકે બે લોકો એકસાથે મળીને રોકાણ કરી શકે છે.
જોઈન્ટ બી ટાઈપ- આમાં રોકાણ તો બે લોકો કરે છે, પરંતુ મેચ્યોરિટીના પીરિયડમાં પૈસા ફક્ત એક રોકાણકારને આપવામાં આવે છે.
કેટલું કરી શકો છો રોકાણ?
પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં અત્યારે 6.8 ટકાનો વ્યાજ દર છે. આ સ્કીમમાં તમે ઓછામાં ઓછા 1000 રૂપિયાનુ રોકાણ કરી શકો છો અને 100ના ગુણાંકમાં રૂપિયાનું રોકાણ કરી શકો છો. જોકે, તેમાં રોકાણની કોઈ મહત્તમ મર્યાદા નથી.