પોસ્ટ ઓફિસમાં પૈસા જમા કરાવતા લોકો માટે મોટી ખબર છે.
post officeમાં પૈસા જમા કરો છો તો જરૂર વાંચો
પોસ્ટ ઓફિસના ખાતા ધારકો માટો મોટા સમાચાર
સરકારે બજેટમાં કરી છે મોટી જાહેરાત
જો તમે પણ પોસ્ટ ઓફિસમાં પૈસા જમા કરાવો છો તો આ ખબર જરૂર જાણી લો. નાણામંત્રીએ આજે બજેટ રજૂ કર્યું. બજેટ રજૂ કરતી વખતે તેમણે ઘણી મોટી જાહેરાતો કરી છે. જેની સીધી અસર સામાન્ય જનતા પર પડશે.
કોર બેન્કિંગ સિસ્ટમમાં લાવવામાં આવશે
નિર્મલા સીતારમણે કહ્યું કે વર્ષ 2022માં 1.5 લાખ પોસ્ટ ઓફિસને કોર બેન્કિંગ સિસ્ટમમાં લાવવામાં આવશે. જ્યાર બાદ પોસ્ટ ઓફિસ સર્વિસમાં જબરદસ્ત ફેરફાર આવશે અને કરોડો ગ્રાહકોને તેનો ફાયદો થશે.
તેની સાથે જ આ પોસ્ટઓફિસના ખાતાધારકોને નેટ બેન્કિંગ, કોર બેન્કિંગ અને એટીએમની સુવિધા આપવામાં આવશે. પોસ્ટ ઓફિસના ખાતા ધારક પોતાના એકાઉન્ટથી બેન્કોના ખાતામાં પણ પૈસા મોકલી શકશે.
ડિજિટલ બેન્કિંગને પ્રોત્સાહન આપવાનું કામ
નાણામંત્રીએ કહ્યું કે 75 ડિજિટલ બેન્કિંગ યુનિટ પણ ખોલવામાં આવશે. ઓછામાં ઓછા ખર્ચમાં ડિજિટલ બેન્કિંગને પ્રોત્સાહન આપવાનું કામ કરવામાં આવશે. તેની સાથે જ ડિજિટલ બેન્કિંગને સરકારને સપોર્ટ યથાવત રહેશે.
સરકારે આ એલાન બાદ નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, એટીએમના માધ્યમથી ખાતા સુધી પહોંચી જશે. તે ઉપરાંત પોસ્ટઓફિસ ખાતા અને બેન્ક ખાતાની વચ્ચે પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવશે.
2022માં 1.5 લાખ પોસ્ટ ઓફિસમાંથી 100 ટકા કોર બેન્કિંગ પ્રણાલી હેઠળ આવશે, જેનાથી નાણકીય સમાવેશન અને નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, એટીએમના માધ્યમથી ખાતા સુધી પહોંચ અને પીઓ ખાતાની વચ્ચે બેન્ક ખાતામાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની સુવિધા ઉપલબ્ધ થઈ જશે.
ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો ફાયદો વરિષ્ઠ નાગરિકોને સીધો થશે. તે ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો પણ સીધા મોબાઈલ બેન્કિંગથી જોડાઈ શકશે.