જો તમે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમે પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાનો લાભ લઈ શકો છો. તે એક સારો ઓપ્શન બની શકે છે.
Post Officeની આ 1 સ્કીમ બનાવી દેશે તમને લાખોપતિ
5 વર્ષના આ પ્લાનમાં વાર્ષિક નફો 1 લાખથી વધારે મળશે
જાણો કેવી રીતે લઈ શકશો લાભ
જો તમે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો Post Officeની નાની બચત યોજના એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. પોસ્ટ ઓફિસની નાની બચત યોજનામાં તમે બેંકની એફડી કે આરડીથી પણ વધારે સારુ રિટર્ન મેળવી શકો છો. આ માટે પોસ્ટ ઓફિસની આ સ્કીમ એક સારો વિકલ્પ હોઈ શકે છે. કેમકે તેમાં રૂપિયા સેફ રહે છે. તેમાં જમા રાશિ પર સોવરેન ગેરેંટી હોય છે. તો જાણો આ યોજનાને વિશે વિગતે.
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC)
પોસ્ટ ઓફિસની આ યોજનામાં એક નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ પણ છે જેમાં એફડીની સરખામણીએ વધારે વ્યાજ મળી રહ્યું છે.
વ્યાજદર
Post Officeની NSC યોજનામાં હજુ પણ વાર્ષિક 6.8 ટકાના દરે વ્યાજ મળે છે. તેને વાર્ષિક આધાર પર કમ્પાઉન્ડ કરાય છે. અને સાથે તેનું પેમેન્ટ મેચ્યોરિટી પર મળે છે. આ સ્કીમના ટેન્યોર 5 વર્ષના રહે છે. જો કે મેચ્યોરિટી પૂરી થાય ત્યારે તેને 5 વર્ષ માટે વધારી શકાય છે.
રોકાણના 5 વિકલ્પ
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ હાલમાં 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા અને 5000 રૂપિયા કે 10000 રૂપિયામાં મળે છે. અલગ અલગ કિંમતના સર્ટિફિકેટ ખરીદીને એનએસસીમાં રોકાણ કરી શકાય છે. તેમાં મિનિમમ 100 રૂપિયાનું રોકાણ જરૂરી છે. વધારે રોકાણની કોઈ સીમા નથી.
જાણો કેવી રીતે 15 લાખના થશે 21 લાખ
જો તમે આ સ્કીમમાં 15 લાખનું રોકાણ કરો છો તો 6.8 ટકા વ્યાજના દરની સાથે તે 5 વર્ષમાં 20.85 લાખ રૂપિયા થાય છે. તેમાં તમારું રોકાણ 15 લાખનું થશે પણ વ્યાજના રૂપમાં લગભગ 6 લાખ રૂપિયાનો ફાયદો થશે. ઈન્કમ ટેક્સ નિયમ 1961ના સેક્શન 80સી ના આધારે 1.5 લાખના એનએસસીનું રોકાણ કરવા પર ટેક્સમાં પણ લાભ મળે છે.