પોસ્ટની આ સ્કીમમાં જો તમે 5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને મેચ્યોરિટી પર 10 લાખ રૂપિયા મળશે.
પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ
આ રીતે KVP દ્વારા મેળવો ડબલ નફો
તમારુ રોકાણ 124 મહિનામાં ડબલ થઈ જશે
પોસ્ટ ઓફિસ (Post Office) ની કિસાન વિકાસ પત્ર (Kisan Vikas Patra KVP) યોજના ભારત સરકારની એક વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ છે. જ્યાં એક નક્કી સમયગાળામાં તમારા પૈસા ડબલ થઈ જશે.
કિસાન વિકાસ પત્ર દેશની દરેક પોસ્ટ ઓફિસ અને મોટી બેન્કોમાં ઉપલબ્ધ છે. તેનો મેચ્યોરિટી પીરિયડ હજુ 124 મહિના છે. તેમાં ઓછામાં ઓછુ રોકાણ 1000 રૂપિયા છે અને વધુમાં વધુ રોકાણની કોઈ લિમિટ નથી. આ પ્લાન ખાસ ખેડૂતો માટે બનાવવામાં આવ્યો છે. જેથી લાંબા સમય માટે તે પોતાના પૈસા બચાવી શકે. \
કેટલું મળશે વ્યાજ?
KVP માટે નાણાકીય વર્ષ 2021ના પહેલા ત્રણ મહિનામાં વ્યાજ દર 6.9 ટકા નક્કી કરવામાં આવ્યું છે. જ્યાં તમારુ રોકાણ 124 મહિનામાં ડબલ થઈ જશે. જો તમે 5 લાખ રૂપિયા રોકો તો તમારી મેચ્યોરિટી પર 10 લાખ રૂપિયા મળશે.
હજાર રૂપિયાનું મિનિમમ રોકાણ જરૂરી
તમારે આ સ્કીમમાં ઓછામાં ઓછુ એક હજાર રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. ત્યાં જ વધુમાં વધુ રોકાણની કોઈ મર્યાદા નથી. આ એક સર્ટિફિકેટના રૂપમાં તમને મળે છે. જેમાં 1000, 2000, 5000, 10000 અને 50000 રૂપિયા સુધીનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. તેમા તમને સરકારની તરફથી ગેરેન્ટી આપવામાં આવે છે.
કોણ ખોલાવી શકે છે ખાતુ?
KVP સર્ટિફિકેટ કોઈ પણ અન્ય પુખ્ત વયની વ્યક્તિ, વધુમાં વધુ ત્રણ પુક્ત વયના વ્યક્તિ મળીને જ્વોઈન્ટ એકાઉન્ટમાં 10 વર્ષથી વધારે ઉંમરના નાબાલિક ખરીદી શકે છે. આ ઉપરાંત કોઈ પણ નાબાલિકના બદલે કોઈ પુક્ત અને કોઈ અસ્થિર મગજના વ્યક્તિના બદલે વાલી તને ખરીદી શકે છે.